573
Join Our WhatsApp Channel
ઓક્સિજનના અભાવથી કોઈના મોત થયા નથી તેવું સંસદમાં કહેનાર કેન્દ્ર સરકારે હવે રાજ્યો પાસેથી ઓક્સિજનની અછતથી મરનાર લોકોના આંકડા માંગ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી કોરોનોની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવથી કેટલા લોકોના મોત થયા છે તે અંગેના સાચા ડેટા માંગ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડા ચોમાસું સત્ર 13 ઓગસ્ટના રોજ પૂરા થતાં પહેલાં સરકાર સંસદના ટેબલ પર મૂકવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં, કોરોના ચેપના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થવાને કારણે, દેશની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ખરડાયેલી જોવા મળી હતી.
દેશભરની હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને રસીની સાથે ઓક્સિજનના અભાવથી પરિસ્થિતિ વધુ વણસી હતી અને દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવને કારણે ઘણા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
You Might Be Interested In