Site icon

શણના ખેડૂતોને મળ્યો કેન્દ્ર સરકારનો ટેકો; અનાજ, કઠોળ અને ખાંડના પેકિંગ માટે શણની બોરી આ તારીખથી ફરજિયાત: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

તાજેતરમાં અનાજના પેકિંગ માટે બેગની અછતની ચર્ચા હતી. જેના ઉકેલ તરીકે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે અનાજ, કઠોળ અને ખાંડના પેકિંગ માટે શણની બોરીઓનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. શણના ખેડૂતો અને આ કામમાં રોકાયેલા કામદારોને રાહત આપવી એ જ્યુટ પેકિંગને ફરજિયાત બનાવવા પાછળનું એક મહત્વનું કારણ છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યુટનું આ પેકિંગ પહેલી જુલાઈ 2021થી 30 જૂન 2022 માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. નવા ઓર્ડર મુજબ હવે અનાજનું પેકિંગ 100% એટલે કે સંપૂર્ણપણે શણની બોરીઓમાં થશે. ખાંડના પેકિંગ માટે 20 ટકા શણની બોરીઓનો ઉપયોગ કરવો પડશે. નિર્ણયમાં એ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે કે બોરીઓ બનાવવા માટે ખેડૂતો પાસેથી 100% જ્યુટ સપ્લાય કરવામાં આવશે. માત્ર ખેડૂતો જ કાચો શણ વેચશે જેમાંથી બોરીઓ તૈયાર કરીને તેમાં અનાજ પેક કરવામાં આવશે.

શેર માર્કેટની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સ ફરી આટલા હજારને પાર; આ શેરોમાં જોવા મળી રહી છે સૌથી વધુ ખરીદી

તેનાથી સ્થાનિક બજારમાં શણની માંગ વધશે અને જ્યુટ પેકેજિંગનો કાચો માલ પણ દેશની અંદર જ તૈયાર થશે. પેકેજિંગ સામગ્રી માટે ઓછી વિદેશી નિર્ભરતા હશે. 

સરકારના જણાવ્યા અનુસાર, જ્યુટ પર લેવાયેલા આ નિર્ણયથી દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં લગભગ 3.7 લાખ શણ કામદારોને ફાયદો થશે. બંગાળ અને ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં શણની ખેતી થાય છે અને ખેડૂતોની આજીવિકા શણ છે. પરંતુ પ્લાસ્ટિકની વધતી જતી માંગને કારણે શણની ખેતી અને ધંધો બરબાદ થઈ રહ્યો હતો. જેના કારણે શણના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકારના આ પગલાથી શણના ખેડૂતો અને જ્યુટ બનાવવાના કામમાં લાગેલા મજૂરોને રાહત મળશે.

સરકારી આંકડા મુજબ, 3.7 લાખ કામદારો સીધા જ્યુટ કામ સાથે સંકળાયેલા છે, જેઓ જ્યુટ ફેક્ટરીઓમાં કામ કરે છે. માહિતી અનુસાર, આ નિર્ણયથી 40 લાખ ખેડૂત પરિવારોને ફાયદો થશે. જ્યુટ ઉદ્યોગ સામાન્ય રીતે ભારતના રાષ્ટ્રીય અર્થતંત્રમાં અને ખાસ કરીને પૂર્વીય પ્રદેશ એટલે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, ત્રિપુરા, મેઘાલય, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેન્દ્રના આ નિર્ણયથી અહીં રહેતા ખેડૂતો અને મજૂરોને ફાયદો થશે.

મહારાષ્ટ્રના આ જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં લીધી હોય તેમને પેટ્રોલ અને રાશન પણ નહીં; જાણો વિગતે

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version