Site icon

મોટા સમાચાર: આ તારીખ સુધીમાં દેશભરમાં લાગશે પ્રીપેડ સ્માર્ટ મીટર, બદલાશે વીજળીના બિલ ભરવાની પદ્ધતિ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

હવે સમગ્ર દેશમાં, દરેક ઘરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સરકારે આ માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે. 

આ અંગે ઉર્જા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

ઉર્જા મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં તમામ બ્લોક લેવલની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. 

સાથે નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વીજ આયોગ આ સમયમર્યાદાને બે વખત અને વધુમાં વધુ 6 મહિના સુધી લંબાવી શકે છે. જોકે, તેઓએ આ માટે માન્ય કારણો પણ આપવાના રહેશે. 

નોટિફિકેશન અનુસાર, માર્ચ 2025 સુધીમાં પ્રીપેડ સ્માર્ટ મીટર દેશભરમાં લગાવવામાં આવશે.

પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વીજળી વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઉર્જા મંત્રાલયે સરકારના તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી હતી કે તેઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો નિર્દેશ આપે. 

આગામી જુલાઈ સુધી મુંબઈની પાણીની ચિંંતા ટળી ગઈ, જળાશયોમાં થઈ ગયું આટલા દિવસનું પાણી જમા; જાણો વિગત

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version