Site icon

અમેરિકામાં પીએમ મોદી- ગૌતમ અદાણી અને આંધ્રના CM સામે નોંધાયો કેસ-. કોર્ટે ત્રણેય દિગ્ગજોને જારી કર્યા સમન્સ- જાણો શું સમગ્ર મામલો  

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના મુખ્ય પ્રધાન(CM) જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy) અને બિઝનેસ ટાયકૂન(Business tycoon) ગૌતમ અદાણી(Gautam Adani) વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ મામલામાં આ ત્રણેય દિગ્ગજોને અમેરિકાની કોર્ટ તરફથી સમન્સ પણ મોકલાવમાં આવી ચૂક્યું છે.  

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ ભ્રષ્ટાચાર અને પેગાસસ સ્પાયવેર(Corruption and Pegasus Spyware) સહિતના અનેક મુદ્દાઓ પર યુએસમાં કેસ(FIR) દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો ભારતીય મૂળના ડૉક્ટર (Indian origin Doctor)દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી, રેડ્ડી અને અદાણી સહિત કેટલાક લોકો ભ્રષ્ટાચાર અને રાજકીય હરિફોની વિરુદ્ધ પેગાસસ સ્પાઇવેયર(Pegasus Spyware) નો ઉપયોગ કરવામાં સામેલ છે. તેમણે અમેરિકામાં મોટા પ્રમાણમાં રોકડ મોકલી હોવાની વાત કહી છે. 

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

એક અહેવાલ અનુસાર, આ કેસ 24 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 22 જુલાઈએ ત્રણેયને સમન્સ(Summons) જાહેર કર્યા હતા. તેમને 4 ઓગસ્ટે ભારત અને 2 ઓગસ્ટે સ્વિટ્ઝર્લેન્ડના શ્વેબને બોલાવવામાં આવ્યા હતા. ડૉ. એ 19 ઓગસ્ટે કોર્ટ સમક્ષ સમન્સના પુરાવા રજૂ કર્યા હતા. જોકે, જ્યારે ટ્રાયલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય-અમેરિકન વકીલ રવિ બત્રા(Indian-American lawyer Ravi Batra)એ કહ્યું કે ડૉ. પાસે ઘણો ખાલી સમય છે અને તેમની પાસે બીજું કોઈ કામ નથી, તેથી તેઓ ભારત(India)ની મહાન હસ્તીઓને અમેરિકા(US)માં બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version