Site icon News Continuous Bureau | Mumbai

જો બાળકો સવારે 7 વાગે શાળામાં જતા હોય તો હું કોર્ટમાં સવારે 9 વાગે ન જઈ શકું- સુપ્રીમ કોર્ટના જજે વહેલી સુનાવણી શરૂ કરી- આપ્યો દાખલો- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટના(Supreme Court) જસ્ટિસ યૂ.યૂ. લલિતે(Justice U.U. Lalit) શુક્રવારે તેમની પાસે રહેલી સુનાવણી નક્કી કરેલા સમયથી એક કલાક પહેલા ચાલુ કરી દીધી હતી. તેથી તેમના  વખાણ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે તેઓએ  કોર્ટમાં કહ્યું હતું કે જો નાના નાના બાળકો સવારના સાત વાગે સ્કૂલમાં(School) જઈ શકે છે તે જજ અને વકીલ નવ વાગે કામની શરૂઆત કેમ ના કરી શકે?

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટમાં કામકાજની શરૂઆત(Commencement of work) સવારના સાડા દસ વાગે થયા છે. સવારના 10.30 વાગ્યાથી ચાર વાગ્યા સુધી કોર્ટમાં સુનાવણી ચાલે છે, તેમાં બપોરના એકથી બે વાગ્યા સુધી લંચ બ્રેક હોય છે. ત્યારે હંમેશા સાડા દસ વાગે ચાલુ થતી કોર્ટમાં શુક્રવારે જોકે જસ્ટિસ યૂ.યૂ.લલિતે સાડા નવ વાગે જ સુનાવણી ચાલુ કરી દીધી હતી. આ ખંડપીઠમાં જસ્ટિસ એસ.રવિન્દ્ર ભટ્ટ(Justice S. Ravindra Bhatt) અને જસ્ટિસ સુધાંશુ ધુલિયા(Justice Sudhanshu Dhulia) પણ હતા.

આ સમાચાર પણ વાંચો :  સોમવારથી શરૂ થશે શિયાળુ સત્ર- મોદી સરકાર સંસદમાં આટલા બિલ રજૂ કરશે- સ્પીકરે આજે સાંજે મહત્વની બેઠક બોલાવી

જસ્ટિસ લલિતના આ નિર્ણયની સુનાવણી માટે હાજર રહેલા દેશના ભૂતપૂર્વ એટોર્ની જનરલ(Former Attorney General) અને પ્રસિદ્ધ વકીલ મુકુલ રોહતગીએ(lawyer Mukul Rohatgi) ભારોભાર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે કોર્ટનું કામકાજ ચાલુ કરવાનો આ યોગ્ય સમય છે.  તેના પર જવાબ આવતા જસ્ટિસ લલિતે કહ્યું હતું કે કોર્ટનું કામકાજ હકીકતમા નવ વાગે જ ચાલુ કરી દેવું જોઈએ. જો સ્કૂલના બાળકો(School kids) સવારના સાત વાગે સ્કૂલ માં જઈ શકે છે તો આપણે નવ વાગે કામ કેમ ચાલુ ના કરી શકીએ. 

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version