Site icon

શું હજી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું? તો આવી શકે છે આ મુશ્કેલી, લિંક કરવા બચ્યા 3 દિવસ..જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમો અનુસાર, 31મી માર્ચ 2022 પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. જો કે, કેટલાક લોકો એવા છે જેમના માટે આ નિયમ ફરજિયાત નથી. 

Join Our WhatsApp Community

આવકવેરા વિભાગના નિયમો અનુસાર, 31મી માર્ચ 2022 પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા જનારી વ્યક્તિના પાન કાર્ડને અમાન્ય કરવામાં આવશે.  આ ઉપરાંત, તમારે રોકાણ, પીએફ પર વધુ ટીડીએસ જેવા ઘણા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાના માત્ર ત્રણ દિવસ બાકી છે. જોકે અમુક અપવાદરૂપ વ્યક્તિઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. 

આવકવેરા કાયદાની કલમ 1961ની કલમ 139AA મુજબ, નાગરિકોએ તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે, નહીં તો તેમની ઘણી નાણાકીય પ્રવૃત્તિઓ અટકી શકે છે. આ નવા ડેબિટ/ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ દખલ કરી શકે છે. આમાં 50,000 રૂપિયાથી વધુની FD મેળવવાની સમસ્યા પણ સામેલ છે. જો કે, અમુક ક્ષેત્રોની વ્યક્તિઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર ભારતમાં આજે ફરી ધરા ધણધણી ઉઠી.. જમ્મુ-કશ્મીરમાં સવાર-સવારમાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

જેમની પાસે આધાર કાર્ડ કે તેનું રજીસ્ટ્રેશન ઓળખ કાર્ડ નથી તેઓને હાલમાં આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. એ સિવાય મેઘાલય, જમ્મુ અને કાશ્મીર અને આસામ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસીઓ તેમ જ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને પણ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. બિન-ભારતીય નાગરિકો માટે પાન-આધાર લિંક ફરજિયાત નથી. બિન-નિવાસી આવકવેરા અધિનિયમ 1961 હેઠળ મુક્તિ આપવામાં આવેલ નાગરિકોને PAN-આધાર લિંક કરવાની જરૂર નથી.

તમે આ રીતે પેન કાર્ડ અને આધારકાર્ડને લિંક કરી શકો છો. આધાર અને PAN લિંક કરવા માટે https://www.incometaxindia.gov.in/pages/pan.aspx ની વિઝિટ કરવી. આધાર લિંક વિકલ્પ પસંદ કરો. આધાર અને પાન નંબર માટે વિનંતી કરેલ વિગતો દાખલ કરો. પછી કેપ્ચા દાખલ કરવો. પછી લિંક સપોર્ટ વિકલ્પ પર ક્લિક કરવું. આ પછી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થઈ જશે.

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version