265
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
યુક્રેનમાં રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે.
આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત મોટી કાર્યવાહી કરી છે.
ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરીને તેમને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે.
ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બીજા કોઈ ભારતીયોનો જાન ન જાય તે માટે બન્ને દેશોના રાજદૂતોને આગ્રહ કર્યો છે.
ભારત માટે દુઃખદ સમાચાર. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, મોદી સરકારે વ્યક્ત કર્યો શોક
You Might Be Interested In