Site icon

12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં થશે વિલંબ, જાણો કેમ?

 ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું જોખમ નાનાં બાળકોને વધુ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. બાળકોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 12થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન ઝડપથી થાય એવા પ્રયાસ છે. જોકે એ પહેલાં બાળકો પર વેક્સિનની ટ્રાયલ આવશ્યક છે. એ માટે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલમાં બાળકો પર ટ્રાયલ કરવામાં આવવાની છે. એ માટે જુલાઈથી રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા એક મહિનામાં ફક્ત 11 બાળકોની જ વેક્સિનની ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન થયાં છે. એથી 12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં વિલંબ થવાની શક્યતા છે. આ એજ-ગ્રુપનાં 50 બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે. એની સામે વાલીઓ તરફથી નબળો પ્રતિસાદ આવતાં પાલિકાની ચિંતામાં વધારો થયો છે. નાયર હૉસ્પિટલમાં ઝાયડસ કેડેલાની વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે 

સારા સમાચાર : જ્વેલરી ઉદ્યોગના સુવર્ણ દિવસો પાછા આવ્યા, રીટેલ માર્કેટમાં ઘરાકી વધી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 6થી 12 વર્ષની એજ-ગ્રુપનાં 25 લાખથી વધુ બાળકો છે. 

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version