Site icon News Continuous Bureau | Mumbai

Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.

પુરાવાઓના અભાવે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો; આજીવન કેદની સજા રદ થઈ હોવા છતાં અન્ય ગુનાઓને કારણે રામ રહીમ જેલમાં જ રહેશે.

Gurmeet Ram Rahim Acquittal HC પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ

Gurmeet Ram Rahim Acquittal HC પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ

News Continuous Bureau | Mumbai
Gurmeet Ram Rahim Acquittal HC પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શનિવારે શિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં મોટો ચુકાદો આપતા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે. મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ અને ન્યાયમૂર્તિ વિક્રમ અગ્રવાલની ખંડપીઠે ૨૦૧૯માં વિશેષ સીબીઆઈ (CBI) અદાલતે ફટકારેલી આજીવન કેદની સજાને પડકારતી અપીલ પર સુનાવણી કરતા આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે રામ રહીમને આ કેસના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.

સહ-આરોપીઓની સજા યથાવત, રામ રહીમ જેલમાં જ રહેશે

હાઈકોર્ટે રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ આ કેસમાં અન્ય બે સહ-આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે, જેનો અર્થ છે કે તેમની સજા યથાવત રહેશે. બીજી તરફ, હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યા હોવા છતાં ગુરમીત રામ રહીમ જેલમાંથી બહાર આવી શકશે નહીં. તે બળાત્કાર સહિતના અન્ય ગંભીર કેસોમાં મળેલી સજાને કારણે હાલમાં જેલમાં જ રહેશે.

Join Our WhatsApp Channel

શું હતો સમગ્ર મામલો?

ઓક્ટોબર ૨૦૦૨માં શિરસામાં ‘પૂરા સચ’ નામનું સ્થાનિક અખબાર ચલાવતા પત્રકાર રામચંદ્ર છત્રપતિની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પત્રકાર છત્રપતિએ તેમના અખબારમાં ડેરા પ્રમુખ વિરુદ્ધ સાધ્વીઓના યૌન શોષણના ગંભીર આરોપો સાથેનો એક નનામો પત્ર પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ બાદ રામ રહીમ વિરુદ્ધ તપાસ તેજ બની હતી. જાન્યુઆરી ૨૦૧૯માં પંચકુલાની વિશેષ સીબીઆઈ અદાલતે રામ રહીમને આ હત્યાનું કાવતરું રચવા બદલ દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ સમાચાર પણ વાંચો : AC Price Hike: એપ્રિલથી ડાઇકિન, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ્સના એસીના ભાવ વધશે, ૧૨% સુધીના ભાવવધારાથી ગ્રાહકો ચિંતામાં; જુઓ લેટેસ્ટ રેટ્સ.

પરિવારમાં નિરાશા: સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી

હાઈકોર્ટના આ ચુકાદા બાદ પત્રકાર રામચંદ્ર છત્રપતિના પુત્ર અંશુલ છત્રપતિએ ઘેરી નિરાશા વ્યક્ત કરી છે. અંશુલે જણાવ્યું હતું કે, “અમારી લડાઈ મુખ્ય આરોપી વિરુદ્ધ હતી. જો તેને જ નિર્દોષ જાહેર કરવામાં આવે તો તે અમારા માટે મોટો ઝટકો છે. અમે હાર માનીશું નહીં અને આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું.” અંશુલ છેલ્લા ૨૫ વર્ષથી આ કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.

Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Khan Sir Firing Case ખાન સર ફાયરિંગ કેસ શનિવારે ફાઇલ ન થઈ શકી આગોતરા જામીન અરજી, હવે સોમવાર સુધી કરવી પડશે રાહ
ATM Fraud Alert એટીએમમાંથી પૈસા ઉપાડતા પહેલાં સાવધાન! સીસીટીવીમાં કેદ થયો ચોંકાવનારો ફ્રોડ, એક નાની ભૂલથી થઈ જશે મોટું નુકસાન
Oil India Andaman Gas ભારતના હાથ લાગ્યો ઊર્જાનો અખૂટ ખજાનો અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો વિશાળ ભંડાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની મોટી જાહેરાત
Exit mobile version