Site icon

ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો

News Continuous Bureau | Mumbai

દેશના નાગરિકોમાં(citizens of the country) છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિકતા(Citizenship) છોડવાનું ચલણ વધી ગયું છે. વર્ષ ૨૦૨૧માં કુલ કેટલા ભારતીય નાગરિકોએ(Indian citizens) દેશની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી આ સવાલના સંસદમાં(Parliament) આપવામાં આવેલા જવાબે ચોંકાવી દીધા છે. એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ(Union Minister of State for Home Affair) સંસદમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૯ કરતા વર્ષ ૨૦૨૧માં કુલ ૧ લાખ ૬૩ હજાર ૩૭૦ લોકોએ ભારતની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી લીધી છે. 

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકાર(Central Govt) તરફથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે(Nityananda Rai) જવાબ આપતા જણાવ્યું, વર્ષ ૨૦૧૯માં આ આંકડો એક લાખ ૪૪ હજાર ૧૭ હતો. સરકાર દ્વારા પોતાના જવાબમાં રજૂ કરવામાં આવેલી કુલ ૧૨૩ દેશોની યાદીમાં ૬ એવા દેશ છે જેમાં ભારતની નાગરિકતા છોડી વર્ષ ૨૦૨૧માં કોઈ ભારતીયે ત્યાંની નાગરિકતા લીધી નહીં. સૌથી ધ્યાન આપવા જેવી બાબત છે કે ૨૦૧૯માં એકપણ ભારતીયે ભારતની નાગરિકતા છોડી પાકિસ્તાનની નાગરિકતા(Pakistan citizenship) અપનાવી નહોતી.  

આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ- હવે આ તારીખે ફરી બોલાવી શકે છે ED-જાણો વિગતે 

જ્યાં વર્ષ ૨૦૧૯માં એકપણ ભારતીયે પાકિસ્તાનની નાગરિકતા ન લીધી. તો ૨૦૨૧માં ૪૧ ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૦માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર ૭ હતી. સરકારને સવાલમાં તેનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં સરકારે કહ્યું કે, આવા બધા નાગરિકતા પોતાના અંગત કારણોથી છોડી છે.  

ભારત છોડીને અન્ય દેશોમાં જનારા ભારતીયોની(Indians) પસંદગીમાં સૌથી ઉપર અમેરિકા(USA) તો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા(Australia) રહ્યું છે. ત્યારબાદ ભારતીયો કેનેડાને(Canada) પસંદ કરી રહ્યાં છે. ચોથા નંબરે ભારતીયો રહેવા માટે બ્રિટનને(Britain) પસંદ કરી રહ્યાં છે.

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version