Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત : સ્ટાર્ટ-અપ કલ્ચર બનાવવા માટે હવે આ તારીખે ઉજવાશે ‘National Start-up Day’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવાર) 150 થી વધુ સ્ટાર્ટઅપ સાહસિકો સાથે વાતચીત કરી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલની શરૂઆતની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું કે, 2022 ભારતના સ્ટાર્ટ-અપ ક્ષેત્ર માટે વધુ નવી તકો લઈને આવ્યું છે. ભારતની આઝાદીના 75માં વર્ષમાં સ્ટાર્ટ-અપ ઈન્ડિયા ઇનોવેશન વીકનું સંગઠન પણ મહત્વપૂર્ણ છે.

આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી પીએમ મોદીએ કહ્યું હતું કે હું દેશના તે તમામ સ્ટાર્ટઅપ્સને તમામ ઈનોવેટીવ યુવાનોને અભિનંદન આપું છું, જેઓ સ્ટાર્ટઅપની દુનિયામાં ભારતનો ઝંડો ઉંચો કરી રહ્યા છે. સ્ટાર્ટઅપની આ સંસ્કૃતિ દેશના છેવાડાના ભાગો સુધી પહોંચે તે માટે હવે 16 જાન્યુઆરીને ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દાયકામાં, સરકાર દ્વારા ઈનોવેશન, આંત્રપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેમાં 3 મુખ્ય પાસાઓ છે – પ્રથમ: ઉદ્યોગસાહસિકતા- અમલદારશાહી સિલોસથી મુક્ત થવું, બીજું: ઇનોવેશન – સંસ્થાકીય મિકેનિઝમ વિકસાવવા, ત્રીજું: યુવા ઈનોવેટર્સને હેન્ડલ કરવું.

કાર ચાલકો માટે કામના સમાચાર, કેન્દ્રીય વાહનમંત્રી નીતિન ગડકરીએ આ મોટા નિર્ણયને આપી મંજૂરી;  જાણો વિગતે 

વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતનું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ સતત પોતાને સુધારી રહ્યું છે. તે સતત શીખવાની અને બદલાતી સ્થિતિમાં છે. ભારતમાં સ્ટાર્ટઅપ્સ હવે 55 વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત છે. પાંચ વર્ષ પહેલાં, ભારતમાં 500 સ્ટાર્ટઅપ્સ પણ નહોતા! આજે આ સંખ્યા 60,000ને વટાવી ગઈ છે. અમારો પ્રયાસ બાળપણથી જ દેશમાં ઇનોવેશન પ્રત્યે આકર્ષણ પેદા કરવાનો અને દેશમાં ઈનોવેશનને સંસ્થાકીયકરણ કરવાનો છે. 9,000થી વધુ અટલ ટિંકરિંગ લેબ્સ આજે બાળકોને શાળાઓમાં નવીનતા લાવવા અને નવા વિચારો પર કામ કરવાની તક આપી રહી છે.

ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં થયેલા સુધારાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઈનોવેશનને લઈને ચાલી રહેલા અભિયાનની અસર એ છે કે ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ પણ ઘણું સુધર્યું છે. વર્ષ 2015માં ભારત આ રેન્કિંગમાં 81મા નંબરે હતું. હવે ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારત 46માં નંબર પર છે.  

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version