Site icon

PM મોદીની મહેનત રંગ લાવી. અમેરિકા બાદ આ દેશે ભારતને પરત કરી 29 મૂલ્યવાન કલાકૃતિઓ, વડાપ્રધાન મોદીએ કર્યું નિરીક્ષણ.. જુઓ તસવીરો જાણો વિગતે

Trafficked Antiquities: US returns 105 smuggled artifacts to India after PM Modi's state visit.. Know other details..

Trafficked Antiquities: US returns 105 smuggled artifacts to India after PM Modi's state visit.. Know other details..

News Continuous Bureau | Mumbai 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra MOdi)ના પ્રયાસો ફળ્યા છે. ઓસ્ટ્રેલિયા(Australia)થી 29 મૂલ્યવાન કલાકૃતિ(Antiquities)ઓ દેશને પરત કરવામાં આવી છે, જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું છે. પ્રાચીન કલાકૃતિઓ વિષયો અનુસાર છ વ્યાપક શ્રેણીઓમાં છે, જેમાં શિવ અને તેમના શિષ્યો, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરા, ચિત્રો અને સુશોભન વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રાચીન કલાકૃતિઓ  જુદા જુદા સમયગાળામાંથી આવે છે, જે 9-10 સદીઓ પૂર્વેની છે.

Join Our WhatsApp Community

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાથી દેશમાં લાવવામાં આવેલી આ 29 પ્રાચીન કલાકૃતિઓ માં મુખ્યત્વે વિવિધ પ્રકારની સામગ્રી – સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય, પિત્તળ, કાગળમાં ચલાવવામાં આવેલા શિલ્પો અને ચિત્રો છે. પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે, જે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

 આ સમાચાર પણ વાંચો :શું રશિયા ન્યુક્લિયર વોર તરફ આગળ વધી રહ્યું છે? પુતિને ન્યુક્લિયર ડ્રીલના આદેશ આપ્યાં

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે તેઓ પોતાની સાથે 157 કલાકૃતિઓ લઈને આવ્યા હતા જે ચોરી અને દાણચોરી દ્વારા દેશની બહાર ગઈ હતી. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત કરી હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સફળતાનો ધ્વજ લહેરાવીને દેશની અમૂલ્ય ધરોહર પણ પાછી લાવી હતી.

અમેરિકાએ આ કલાકૃતિઓ અને પ્રાચીન કલાકૃતિઓ વડાપ્રધાન મોદીને ભેટમાં આપી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14મી સદીની હતી. કેટલીક પ્રાચીન વસ્તુઓ 2000 બીસીની છે. 

 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version