Site icon

કુંભ મેળો સમાપ્ત કરો… હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા… જાણો તેમણે શું કર્યું??

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો. 

મુંબઈ,17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર.

       દેશમાં કોરોનાનું સંકટ વધારે ઘેરું બનતું જાય છે. ત્યારે તેની બીજી લહેર વધારે ઘાતક પુરવાર થઇ રહી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદી એ બધા સાધુ-સંતોની સ્વાસ્થ્ય અંગે જાણકારી પણ મેળવી હતી.

     વડાપ્રધાન મોદીએ આજે ટ્વિટ કરીને માહિતી આપી કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંત ના સ્વાસ્થ્ય ની માહિતી લીધી છે. વડાપ્રધાને આગળ કહ્યું હતું કે મેં આચાર્ય ને વિનંતી કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયાં છે, તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. એનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાન ક્ષેત્ર વારાણસીમાં કોરોના ના નામે લોકો પાસે થી ઉઘાડી લૂંટ.

    વડાપ્રધાનના ટ્વિટ પર જવાબ આપતાં મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ પણ ટ્વિટ દ્વારા પ્રધાનમંત્રી નો આભાર માનતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનજીની અપીલનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને બીજાના જીવની રક્ષા કરવી ખૂબ મહત્ત્વની છે. મારો ધર્મપરાયણ જનતાને આગ્રહ છે કે કોવિડ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને એના નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે.

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version