પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, તસ્વીર શેર કરી ભાવવિભોર ટ્વીટ કરી… જુઓ તસવીર, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 વડાપ્રધાન (Prime minister)નરેન્દ્ર મોદી (Narendra Modi)હાલ ત્રણ દિવસના ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે બનાસકાંઠા(Banaskantha)માં વિવિધ યોજનાઓનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરીને હાલ તેઓ જામનગર(Jamnagar) પહોંચ્યા છે. ગુજરાત (Gujarat) હવે વિશ્વફલક પર ઝળકવા જઈ રહ્યું છે કારણ કે જામનગર (Jamnagar)માં વિશ્વનુ પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન'(Global centre for traditional Medicine) બની રહ્યું છે. આ દરમિયાન જામનગર(Jamnagar)ના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી(Narendra Modi meet Shatrushalyasinhji) એ મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપને જણાવી દઈએ કે યુક્રેન(Ukraine war)માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.

 

વડાપ્રધાન મોદી(PM Modi)એ જામનગર(Jamnagar)માં જામસાહેબ સાથે મુલાકાત કરીને ટ્વિટ કરીને જણાવ્યું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.

આ સમાચાર પણ વાંચો : હેં!! સમાજમાં તણાવ નિર્માણ કરનારી આટલી પોસ્ટ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી…જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More