Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, તસ્વીર શેર કરી ભાવવિભોર ટ્વીટ કરી… જુઓ તસવીર, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

 વડાપ્રધાન (Prime minister)નરેન્દ્ર મોદી (Narendra Modi)હાલ ત્રણ દિવસના ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે બનાસકાંઠા(Banaskantha)માં વિવિધ યોજનાઓનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરીને હાલ તેઓ જામનગર(Jamnagar) પહોંચ્યા છે. ગુજરાત (Gujarat) હવે વિશ્વફલક પર ઝળકવા જઈ રહ્યું છે કારણ કે જામનગર (Jamnagar)માં વિશ્વનુ પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન'(Global centre for traditional Medicine) બની રહ્યું છે. આ દરમિયાન જામનગર(Jamnagar)ના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી(Narendra Modi meet Shatrushalyasinhji) એ મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપને જણાવી દઈએ કે યુક્રેન(Ukraine war)માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.

Join Our WhatsApp Channel

 

વડાપ્રધાન મોદી(PM Modi)એ જામનગર(Jamnagar)માં જામસાહેબ સાથે મુલાકાત કરીને ટ્વિટ કરીને જણાવ્યું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.

આ સમાચાર પણ વાંચો : હેં!! સમાજમાં તણાવ નિર્માણ કરનારી આટલી પોસ્ટ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી…જાણો વિગતે

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version