યુક્રેનમાં ભારતનું ‘મિશન એરલિફ્ટ’, મોદી સરકારે યુદ્ધના ક્ષેત્રમાંથી ભારતીયોને બહાર કાઢવા મોદી સરકારે ઘડ્યો આ પ્લાન ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

શુક્રવાર,

ભારતે યુક્રેનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે એક મોટી રાજદ્વારી પહેલ કરી છે.

ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ભારતીય વિદ્યાર્થીઓ સડક માર્ગે આ દેશોમાં પહોંચશે ત્યારે તેમને કતાર થઈને ભારત લાવવામાં આવશે. 

આ માટે દોહા સ્થિત ભારતીય દૂતાવાસે તમામ તૈયારીઓ કરી લીધી છે.

તમામ ભારતીયોને પરત લાવવાની ફ્લાઇટનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં CCSની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પાથરશે આટલા હજાર કિલોમીટર સબમરીન કેબલ, હાઈ ઈન્ટરનેટ સાથે જોડાશે ભારત અને સિંગાપુર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More