રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના આગામી ચીફ જસ્ટિસની કરી નિમણુક – જાણો વિગત 

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટીસની નિમણુક કઈ છે. જસ્ટીસ નાથલાપતિ વેંકટ રમન્ના ભારતના ૪૮મા ચીફ જસ્ટીસ બનશે. રાષ્ટ્રપતિ તરફથી મહોર મળ્યા બાદ હવે જસ્ટિસ એન. વી. રામન્ના ૨૪ એપ્રિલે ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે. 

ઉલ્લેખનીય છે કે હાલના ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેનો કાર્યકાળ ૨૩ એપ્રિલ ૨૦૨૧નાં રોજ પૂર્ણ થવાનો છે, તેથી જ તેમણે વરિષ્ઠતાના ધોરણે જસ્ટિસ એન. વી. રામન્નાના નામની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી હતી. 

આને કહેવાય સંતાકુકડી :CBI દિલ્હીથી પહોંચી મુંબઈ અને અનિલ દેશમુખ પહોંચ્યા દિલ્હી.

જસ્ટિસ એન. વી. રામન્નાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ સુધીનો છે, જે છેલ્લાં દસકાનો સૌથી લાંબો કાર્યકાળ છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More