લખીમપુર ખીરી હિંસાના મામલે સંસદમાં વિપક્ષનો જબરદસ્ત હોબાળો, રાહુલ ગાંધી બોલ્યા, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ક્રિમિનલ છે, સરકાર કરે આ કાર્યવાહી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

ગુરુવાર.

લખીમપુર ખીરી હિંસાના મામલામાં સંસદની સાથે સાથે યુપી વિધાનસભામાં પણ હંગામો મચ્યો છે.

આજે લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂતોની હત્યામાં મંત્રીની સંડોવણી છે અને તેમને સજા મળવી જોઈએ, તેઓ ક્રિમિનલ છે. સરકારે તેમને હાંકી કાઢવા જોઈએ.

જોકે રાહુલ ગાંધીને આ મુદ્દે વધારે બોલવા દેવાયા નહોતા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે, રાહુલ ગાંધી જે પ્રશ્ન પર વાત કરવાની હતી તેની જગ્યાએ બીજા જ મુદ્દા પર વાત કરી રહ્યા છે..

મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને લખીમપુરમાં ખેડૂતોને જીપ હેઠળ કચડી નાંખવાના મામલામાં આરોપી બનાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને જીપ નીચે કચડવાનુ કાવતરુ અગાઉથી ઘડવામાં આવ્યુ હોવાનો રિપોર્ટ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે રજૂ કર્યો છે. જેના કારણે હવે કોંગ્રેસ દ્વારા આશિષ મિશ્રાના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ થઈ રહી છે.

હાશ! કોરોનાગ્રસ્ત અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા આટલા લોકો નેગેટિવ; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More