કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું આવ્યું નિવેદન, કહ્યું- આજે સત્ય, ન્યાય અને અહિંસાની થઈ જીત; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

શુક્રવાર

પીએમ મોદીના ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે  લગભગ 12 મહિનાના ગાંધીવાદી આંદોલન બાદ આજે દેશના 62 કરોડ અન્નદાતા-ખેડૂતો-ખેતમજૂરોનો સંઘર્ષ અને ઈચ્છાનો વિજય થયો છે. 

આજે સત્ય, ન્યાય અને અહિંસાની જીત થઈ છે.

આજે 700 થી વધુ ખેડૂત પરિવારોનું બલિદાન રંગ લાવ્યું, જેમના પરિવારોએ ન્યાય માટેના આ સંઘર્ષમાં પોતાનો જીવ આપ્યો. 

ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ ષડયંત્ર કરનારા સત્તામાં રહેલા સરમુખત્યારશાહી લોકોના ઘમંડનો પણ પરાજય થયો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *