અરે વાહ! ખાદી ભંડારનો અનોખો ઉપક્રમ, જ્યાં મનુષ્ય અને હાથી વચ્ચે ઘર્ષણ થાય છે ત્યાં મધપૂડા મૂકવામાં આવશે… પણ તેનાથી શું થશે? જાણો અહીં…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

શુક્રવાર

ભારતમાં હાથી અને માણસો વચ્ચે વર્ષોથી સંધર્ષ થતો આવ્યો છે. દેશમાં વર્ષે સરેરાશ ૨૦૦ લોકોનું મોત હાથીના કચડી નાખવાથી થાય છે. હવે આ સંઘર્ષને અટકાવવા ખાદી અને ગ્રામઉદ્યોગ કમિશને એક અનોખી નવી પહેલ કરી છે. કમિશને અવાર-નવાર સંઘર્ષ થતા વિસ્તારમાં મધપેટી મૂકી છે.

આ નવતર પ્રયોગ હાલમાં કર્ણાટકના કોડગુ જિલ્લાના ચાર વિસ્તારમાં કર્યો છે. આ પહેલને હવે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડીસા, છતીસગઢ, આસામ, તમિલનાડુ અને કેરલા જેવા રાજ્યોમાં પણ અમલમાં મૂકવામાં આવશે.

આ પેટીઓ માનવ વસ્તી હોય તેવી જગ્યાએ મુકવામાં આવશે. મધમાખી હાથીની આંખમાં કે સૂંઢમાં ન ઘુસી જાય તે ડરથી ત્યાં આવશે નહિ, વળી મધમાખીના અવાજથી પણ હાથી ચીડાય છે. આ પ્રયોગથી સંઘર્ષ ઘટશે જેથી, પ્રાણી અને માનવી બંનેને નુકસાન થશે નહિ. ઉપરાંત ખેડૂતોને મધપેટીના જતનથી વધારાની આવક થશે.

ચારકોપમાં થયું મોટો ડીમોલેશન. મેનગ્રોવ કાપીને બનાવવામાં આવેલા 100 જેટલાં ઝૂંપડાં તોડી પડાયા. જુઓ ફોટા અને જાણો વિગત.

ઉલ્લેખનીય છે કે MSMEના મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી આ ખાદી ગ્રામઉદ્યોગ કમીશનની આ પહેલને બિરદાવી હતી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More