News Continuous Bureau | Mumbai
PMUY: સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) હેઠળ ગરીબ પરિવારોની પુખ્ત વયની મહિલાઓને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન ( LPG Connection ) પ્રદાન કરે છે. તદુપરાંત, તમામ પીએમયુવાય ઉપભોક્તાઓને 14.2 કિગ્રા સમકક્ષ ઘરેલુ એલપીજીની 12 રિફિલ માટે 14.2 કિલોગ્રામ સિલિન્ડર (અને પ્રમાણસર 5 કિગ્રા સિલિન્ડર માટે પ્રો-રેટેડ) દીઠ ₹300 ની લક્ષ્યાંકિત સબસિડી પ્રદાન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારો પણ પીએમયુવાય લાભાર્થીઓને સબસિડીયુક્ત રિફિલ અથવા વધુ સબસિડી પ્રદાન કરે છે.
01.07.2024 સુધી 30.19 કરોડથી વધારે એલપીજી ઉપભોક્તાઓની ( LPG consumers ) નોંધણી ‘પહલ’ યોજના હેઠળ થઈ હતી. ‘પહલ’ યોજના હેઠળ એલપીજી સિલિન્ડરને ( LPG cylinder ) સબસિડી વગરની કિંમતે વેચવામાં આવે છે અને એલપીજી ગ્રાહકોને લાગુ પડતી સબસિડીને ( LPG cylinder subsidy ) સીધી જ ગ્રાહકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સબસિડી આધાર ટ્રાન્સફર સુસંગત (એટીસી) અથવા બેંક ટ્રાન્સફર સુસંગત (બીટીસી) માધ્યમથી ટ્રાન્સફર થાય છે.
આ લાભો યોગ્ય અને લક્ષિત લાભાર્થીઓ સુધી કાર્યક્ષમ અને સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) યોજનાઓ માટે આધાર આધારિત પ્રમાણભૂતતા, ઇચ્છિત લાભાર્થીઓને લક્ષિત લાભ પ્રદાન કરવા માટે લાભાર્થીઓની સચોટ, વાસ્તવિક સમય અને વાજબી કિંમતે ઓળખ, પ્રમાણભૂતતા અને ડિ-ડુપ્લિકેશનને સક્ષમ બનાવે છે.
ગ્રાહકોના પ્રમાણીકરણને વધારવા માટે, સરકારે ઓક્ટોબર 2023 માં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને PMUY અને PAHAL લાભાર્થીઓનું સંપૂર્ણ બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ હાથ ધરવા માટે નિર્દેશો જારી કર્યા હતા.
ગ્રાહકો વિવિધ પદ્ધતિઓ દ્વારા તેમની બાયોમેટ્રિક આધાર ( Aadhaar ) પ્રમાણભૂતતા પૂર્ણ કરી શકે છે. આમાં તેમના સંબંધિત ઓએમસી દ્વારા પ્રદાન કરવામાં આવતી મોબાઇલ એપ્લિકેશનોના ઉપયોગનો સમાવેશ થાય છે. આ વિકલ્પ સુવિધા અને લવચીકતા પ્રદાન કરે છે, જે ગ્રાહકોને તેમની અનુકૂળતા પ્રમાણે ડિસ્ટ્રિબ્યુટરની મુલાકાત લીધા વિના, તેમના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને પ્રમાણીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપે છે. ગ્રાહકો તેમની સિલિન્ડર ડિલિવરી સમયે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પણ પૂર્ણ કરી શકે છે. આ પદ્ધતિ ગ્રાહકોને કોઈપણ સ્થળની મુલાકાત લીધા વિના પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપે છે. ઉપભોક્તાઓ તેમના એલપીજી ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમની મુલાકાત લઈને પ્રમાણીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ પસંદ કરી શકે છે, જે ડિલિવરીના કલાકો દરમિયાન ઉપલબ્ધ ન હોઈ શકે અથવા વ્યક્તિગત રીતે પ્રક્રિયા પૂર્ણ કરવાનું પસંદ કરે છે તેમના માટે એક વિકલ્પ પૂરો પાડે છે.
આ સમાચાર પણ વાંચો: Gujaratis : કોરોનાકાળથી અત્યારસુધીમાં કુદરતી કે માનવસર્જિત આફતોને કારણે વિવિધ દેશોમાં ફસાયેલા 4,92,701 ગુજરાતીઓને સહીસલામત વતન પરત લાવવામાં આવ્યા
તમામ ઘરેલુ એલપીજી ગ્રાહકોને તેમની અનુકૂળતાએ ઉપલબ્ધ કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક આધાર પ્રમાણભૂતતા ( Biometric Aadhaar Validation ) મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ લવચીક અભિગમ સુનિશ્ચિત કરે છે કે, ગ્રાહકો તેમની વ્યક્તિગત પસંદગી અને સંજોગોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવી પદ્ધતિ અને સમય પસંદ કરી શકે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા શિબિર દરમિયાન નોંધપાત્ર સંખ્યામાં બાયોમેટ્રિક આધાર પ્રમાણભૂતતા (35 લાખથી વધુ પીએમયુવાય લાભાર્થીઓ)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જે એલપીજી સેફ્ટી ઇન્સ્પેક્શન/કેમ્પ્સ ચાલી રહ્યાં છે, તેના ભાગરૂપે ગ્રાહકના ઘરઆંગણે પ્રમાણભૂતતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ ન થયું હોય તેવા ગ્રાહકો માટે કોઈ સેવા કે લાભ બંધ કરવામાં આવ્યો નથી.
આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી સુરેશ ગોપીએ આજે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.