15 બાથરૂમ, 8 લાખના પડદા, રિનોવેશનમાં 45 કરોડનો ખર્ચ, આમ આદમી પાર્ટીની શાહી ભવ્યતા

દિલ્હીની સરકારે વિદેશી માર્બલ લગાવવાનો અધિકાર PWD વિભાગ હેઠળ આપવામાં આવ્યો છે. જેને કારણે હવે માર્બલ પણ વિદેશી હોય છે.

by Dr. Mayur Parikh
AAP royal grandeur with the expense of lacks of rupees

News Continuous Bureau | Mumbai

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ હાઉસના રિનોવેશનને લઈને બીજેપી આક્રમક બની છે . નવીનીકરણ કરવામાં આવી રહેલા સીએમ હાઉસમાં પંખા, પડદા અને અન્ય વસ્તુઓ પાછળ લાખો રૂપિયાના ખર્ચ પર ભાજપે સવાલો ઉઠાવ્યા છે. જેના કારણે ભાજપે મુખ્યમંત્રી કેજરીવાલના બંગલા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો આમ આદમી પાર્ટીએ ભાજપને વળતો જવાબ આપ્યો છે અને ટીકા કરી છે કે પુલવામા અને અદાણી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ આ મુદ્દો ઉઠાવી રહી છે.

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ હાઉસના નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યાનો દાવો કર્યો છે. કેજરીવાલના ઘરમાં આઠ લાખ રૂપિયાના પડદા, 15 બાથરૂમ છે. શું ખરેખર આટલો ખર્ચ કરવો જરૂરી હતો? એવો સવાલ ભાજપે કર્યો છે.

ભાજપ શાસિત મુખ્યમંત્રીના ખર્ચાઓ પર નિશાન સાધ્યું

ભાજપના આ હુમલાનો AAPએ પણ જવાબ આપ્યો છે. AAPએ કહ્યું છે કે પુલવામા અને અદાણી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ આ મુદ્દો ઉઠાવી રહી છે. દિલ્હીમાં જ પીએમ હાઉસ બનાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાની ટીકા કરતી વખતે ‘આપ’ એ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના ખર્ચ પર પણ નિશાન સાધ્યું છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્લેનમાં 191 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે જ સમયે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ વિમાનની ખરીદી માટે 65 કરોડ આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની બોર્નવિટાને નોટિસ

આમ આદમી પાર્ટી દ્વારા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો

તમામ આરોપોના જવાબમાં આમ આદમી પાર્ટી એ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી લખલૂટ ખર્ચા કરી રહી છે. દેશના વડાપ્રધાન 500 કરોડના ખર્ચે નવું મકાન બનાવી રહ્યા છે. તેમના વર્તમાન મકાનના નવીનીકરણ પાછળ 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 20 હજાર કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની કિંમત લગભગ 23 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

80 વર્ષ જૂનું સીએમ હાઉસ

બીજેપીના આરોપો પર સ્પષ્ટતા કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ જ્યાં રહે છે તે સરકારી ઘર 1942માં બનાવવામાં આવ્યું હતું. તેના ઘરની છત ત્રણ વખત પડી. એક ઘટનામાં કેજરીવાલના માતા-પિતાના રૂમની છત તૂટી પડી હતી. અન્ય એક ઘટનામાં મુખ્યમંત્રીના બેડરૂમની છત તૂટી પડી હતી. ત્રીજી ઘટનામાં તેમણે પૂછ્યું કે જે રૂમમાં કેજરીવાલ લોકોને મળતા હતા તે રૂમની ફોલિંગ સિલિંગ હતી તો શું તેનું રિનોવેશન ન કરવું જોઈએ?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More