Site icon

એક્શન !! અજીત ડોવાલ ફુલ ઓન મોડમાં, મ્યાનમાર એ 22 ઉગ્રવાદીઓ ભારતને સોંપ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 મે 2020 

જેમ આતંકવાદીઓને ઠાર કરવાનું ઓપરેશન જમ્મુ-કાશ્મીરમાં આરંભાયું છે એવી જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ઓપરેશન ચલાવ્યું છે. જેની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને સોંપવામાં આવી છે. અજીત ડોવાલ દ્વારા ચલાવાતા આ ઓપરેશનમાં એક મોટી સફળતા ભારતને મળી છે. મ્યાનમાર (બર્મા) ની સેના દ્વારા 22 જેટલા ઉગ્રવાદીઓને ભારતને સોંપવામાં આવ્યા છે, આ લોકો પહેલા ભારતમાં અને નાના મોટા હુમલાઓ કરી પાડોશી દેશમાં ભાગી ગયા હતા. આ સોંપાયેલા 22 ઉગ્રવાદીઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે, હવે તેઓને મણિપુર અને આસામની પોલીસને સોંપવામાં આવશે, જ્યાં ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ દ્વારા કહેવાયું છે કે આ ઘટના દ્વારા ફલિત થાય છે કે 'ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે'. નોંધનીય છે કે 2018 માં મ્યાનમાર ના સહયોગથી પૂર્વોત્તરના રાજ્યોમાં એક સર્જીકલ સ્ટ્રાઈકને પણ અંજામ આપવામાં આવ્યો હતો..

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version