Site icon

એક્શન !! અજીત ડોવાલ ફુલ ઓન મોડમાં, મ્યાનમાર એ 22 ઉગ્રવાદીઓ ભારતને સોંપ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 મે 2020 

જેમ આતંકવાદીઓને ઠાર કરવાનું ઓપરેશન જમ્મુ-કાશ્મીરમાં આરંભાયું છે એવી જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ઓપરેશન ચલાવ્યું છે. જેની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને સોંપવામાં આવી છે. અજીત ડોવાલ દ્વારા ચલાવાતા આ ઓપરેશનમાં એક મોટી સફળતા ભારતને મળી છે. મ્યાનમાર (બર્મા) ની સેના દ્વારા 22 જેટલા ઉગ્રવાદીઓને ભારતને સોંપવામાં આવ્યા છે, આ લોકો પહેલા ભારતમાં અને નાના મોટા હુમલાઓ કરી પાડોશી દેશમાં ભાગી ગયા હતા. આ સોંપાયેલા 22 ઉગ્રવાદીઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે, હવે તેઓને મણિપુર અને આસામની પોલીસને સોંપવામાં આવશે, જ્યાં ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ દ્વારા કહેવાયું છે કે આ ઘટના દ્વારા ફલિત થાય છે કે 'ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે'. નોંધનીય છે કે 2018 માં મ્યાનમાર ના સહયોગથી પૂર્વોત્તરના રાજ્યોમાં એક સર્જીકલ સ્ટ્રાઈકને પણ અંજામ આપવામાં આવ્યો હતો..

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version