Site icon

આદર પુનાવાલા એ ભારત છોડી દીધું. પાછા આવશે? ખરેખર શું થયું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર

આદર પુનાવાલા એ ભારત છોડી દીધું છે. ભારતમાં તેને અનેક પ્રકારની અડચણો નો સામનો કરવો પડી રહ્યો છે. વાત એમ છે કે આધાર પુનાવાલા ને ભારતના કેટલાક સૌથી શક્તિશાળી લોકો દ્વારા તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે  તેમને ભારત સરકાર દ્વારા 'વાય' કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ભારતના કેટલાક શક્તિશાળી લોકો તરફથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશમાં કોરોના રસી કોવિશિલ્ડ / AstraZeneca COVID-19 રસીનું ઉત્પાદન કરી રહી છે.

Join Our WhatsApp Community

અદાર પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે  "અપેક્ષા અને આક્રમકતાનું સ્તર ખરેખર અભૂતપૂર્વ છે, તે જબરજસ્ત છે.  બધી જવાબદારીઓ મારા ખભા પર નાખી દેવામાં આવી છે, પણ હું એકલો કાંઇ કરી શકું તેમ નથી. હું આવી સ્થિતિમાં રહેવા માંગતો નથી કે જ્યાં તમે ફક્ત તમારું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, અને તમને ધમકીઓ મળે છે."

પૂનાવાલાએ કરેલા દાવા પ્રમાણે તેમને રાજ્યોના મુખ્યમંત્રી, ઈન્ડસ્ટ્રી ચેમ્બર્સના પ્રમુખ અને અનેક પ્રભાવશાળી હસ્તિઓ ધમકી આપી રહી હતી. તેઓ ફોન પર કોવિશીલ્ડ વેક્સિન તાત્કાલિક પૂરી પાડવા માંગણી કરતા હતા. 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version