Site icon

Adhir Ranjan Chowdhury : અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ, મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો, જાણો શું છે કારણ..

Adhir Ranjan Chowdhury : પ્રસ્તાવને આગળ વધારતા સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું, તેમની આ આદત બની ગઈ છે. વારંવારની ચેતવણી બાદ પણ તેમનામાં કોઈ સુધારો નથી. તેઓ હંમેશા ચર્ચાઓમાં પાયાવિહોણા આરોપો લગાવે છે.

Adhir Ranjan Chowdhury: Irked by his jibes at Modi, House suspends Adhir Chowdhury citing 'unruly’ conduct

Adhir Ranjan Chowdhury: Irked by his jibes at Modi, House suspends Adhir Chowdhury citing 'unruly’ conduct

News Continuous Bureau | Mumbai 

Adhir Ranjan Chowdhury : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના(congress leader) સાંસદ અધીર રંજન ચૌધરીને ‘અનિયમિત’ વર્તન બદલ લોકસભામાંથી(lok sabha) સસ્પેન્ડ(suspend) કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા સસ્પેન્શનની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. લોકસભાએ તેમના વ્યવહાર(behaviour) અને મર્યાદા વિરૂદ્ધના વર્તનને ધ્યાનમાં રાખીને મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સમિતિનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

તેમના પ્રસ્તાવમાં, પ્રહલાદ જોશીએ(Prahlad joshi) અધીર રંજન ચૌધરી પર સંસદની કાર્યવાહી દરમિયાન સતત વિક્ષેપ ઉભો કરવાનો અને દેશ અને તેની છબીને બદનામ કરવાનો આરોપ મૂક્યો. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ આ બાબતે પોતાનો અહેવાલ રજૂ નહીં કરે ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 11 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

પ્રસ્તાવને આગળ વધારતા સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું, “તેઓ હંમેશા તેમના નિવેદનોથી પાયાવિહોણા આક્ષેપો કરે છે. આ અંગે તેને વારંવાર ચેતવણી આપવામાં આવી છે, પરંતુ તેની આદતમાં કોઈ સુધારો થયો નથી. તેઓ આ માટે માફી પણ માગતા નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધીર રંજન ચૌધરી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.તે

મંત્રીએ કહ્યું કે બુધવારે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે પણ તેમણે આવું જ વર્તન કર્યું હતું. જોશીએ પછી અધિરનો કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવાની દરખાસ્ત દાખલ કરી અને માંગણી કરી કે જ્યાં સુધી સમિતિ તેનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ પ્રસ્તાવને સંસદે સ્વીકારી લીધો હતો.

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Indian Sailors at Risk Iran War: વોર ઝોનમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીય નાવિકો પર મોટું જોખમ! ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવથી દરિયાઈ માર્ગો બન્યા અસુરક્ષિત..
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Exit mobile version