275
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં હાલની સુરક્ષા સ્થિતિને જોતા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.
ભારત સરકારના નિર્ણય મુજબ, હવેથી તમામ અફઘાન નાગરિકો માત્ર ઈ-વિઝા પર ભારતની મુસાફરી કરી શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ અફઘાનિસ્તાનમાંથી સર્જાયેલા પ્રવાહમાં કોઇ ખોટા કે તાલીબાની ભારતમાં ઘૂસી ન જાય તેથી આ નિર્ણય લેવાયો છે.
ભારત સરકારે ઇ-વિઝાની નવી શ્રેણી રજૂ કરી છે, જે હવે છ મહિના માટે માન્ય રહેશે.
તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં દહેશતનો માહોલ છે. ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિનું સમર્થક રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં, લગભગ દરરોજ અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવી રહ્યા છે.
You Might Be Interested In