ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ત્રણ ગામોમાં આઝાદીનાં 75 વર્ષ બાદ છેક હવે વીજળી પહોંચી છે. ભારે બરફવર્ષા અને કોરોનાને કારણે કુપવાડા જિલ્લા વહીવટીતંત્ર એ એલ.ઓ.સી પરના જમ્મુ-કાશ્મીરના કેરાન વિસ્તારમાં ત્રણ ગામોમાં વિજળી પહોંચાડી છે. છેક આઝાદીથી રાહ જોઈ રહેલા ગ્રામજનોના ઘરમાં, કલમ 370 હટયા બાદ રોશની ફેલાઇ છે.
વીજ સંચાલન કંપની સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરાન વિસ્તારમાં વિજળી પહોંચાડવાનું કામ સરળ ન હતું. કલમ 370 રદ થવાથી અને કોવિડ 19 જેવા રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈ કર્મચારીઓની ખુબ અછત પડી હતી. પાછું આ સરહદી વિસ્તારમાં ઉંચાઈએ આવેલા ગામ સુધી પહોંચવાની યાત્રા પણ ખૂબ કઠિન હતી. એક તો ભારે હિમવર્ષાને કારણે આ વિસ્તાર લગભગ છ મહિના, અન્ય ભાગોથી વિખૂટું રહે છે અને તે દરમિયાન 9 થી 12 ફુટ સુધી બરફ જામી ગયેલો હોય છે. આમ છતાં જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના વહીવટી તંત્રએ 31 જુલાઇની સમય સીમા સુધીમાં પાવર સબ સેન્ટર નું ઉદઘાટન કરી દીધું હતું. હવે કુપવાડા પ્રશાસન નું ધ્યાન સરહદી વિસ્તારના બીજા નાના નાના ગામોને પાવરગ્રીડ થી જોડવાનું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com