ચીનની સોડમાં ભરાયેલા ઈરાનનો ભારતને બીજો ઝટકો, ફરઝાદ – બી વાયૂ પ્રકલ્પમાંથી ભારતની બાદબાકી..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

18 જુલાઈ 2020

ભારતને ચાબહારથી જેહદાન સુધીનો 628 કિલોમીટરના રેલ્વે પ્રોજેક્ટને હટાવ્યા બાદ ઈરાને ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. ઈરાને ભારતની ઓએનજીસીને પર્સિયન ગલ્ફમાં ફરઝાદ -બી ગેસ પ્રોજેક્ટમાંથી બાકાત કર્યું છે એવી માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે આપી છે.

પર્સિયન ગલ્ફમાં ફરઝાદ-બી ગેસ પ્રોજેક્ટ ગેસ ક્ષેત્રના વિકાસ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ બ્લોકમાં 21.3 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર હોવાનું અનુમાન છે. છેલ્લાં દસ વર્ષથી આ ગેસ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જોકે, ચીન સાથેના નિકટતાને કારણે ઈરાને ભારતને આ પ્રોજેક્ટથી બાકાત રાખ્યું છે. 

ઓએનજીસી-ઓઇલ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓઇલે વર્ષ 2008 માં પર્સિયન ગલ્ફમાં ફરઝાદ-બી ગેસ ક્ષેત્રની શોધખોળ કરી હતી. ત્યારબાદ ઇરાને ગેસ ક્ષેત્રના વિકાસ માટે ભારત સાથે કરાર પર હસ્તાક્ષર કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે ઓએનજીસીએ ઇરાન સાથે કરાર કર્યો હતો. હવે ઈરાને આ પ્રોજેક્ટમાંથી ભારતને બાકાત કરી પોતાના જાતે પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More