Site icon

Shraddha murder case: આફતાબ તાલિબાન જેહાદી નીકળ્યો… કહ્યું મને જન્નતમાં હુર મળશે.. 

Shraddha murder case: આફતાબ નું પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં મહત્વપૂર્ણ વાતો સામે આવી છે. જે વિગતો સામે આવી છે તે ચોંકાવનાર છે. 

Chargesheet revealed in Shraddha Walkar murder case

ક્રૂરતાની તમામ હદો પાર.. ‘શ્રદ્ધાના હાડકાને ગ્રાઈન્ડરમાં પીસીને રસ્તા પર ફેક્યા’ આફતાબે કબૂલનામામાં કર્યા ચોંકાવનારા ખુલાસા..

News Continuous Bureau | Mumbai

લવ જેહાદ (love Jehad)  દ્વારા આફતાબે શ્રદ્ધા વોકર(Shraddha Walker Murder case) ની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આફતાબની માનસિકતા હવે સામે આવી છે. ગઈકાલ સુધી આફતાબે (Aftab) પોતાને હતાશ પ્રેમી તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે ગુસ્સામાં આવીને શ્રદ્ધાની હત્યા કરી હતી, પરંતુ પોલીગ્રાફ ટેસ્ટમાં તેના મોઢામાંથી જે માહિતી બહાર આવી તેના કારણે પોલીસને શંકા છે કે આફતાબ પ્રશિક્ષિત જેહાદી છે. તેણે કહ્યું, “મને ખુશીથી ફાંસી આપો, મને જન્નતમાં હુર મળશે એટલે કે મને સ્વર્ગમાં અપ્સરા મળશે.”

Join Our WhatsApp Community

20 હિન્દુ યુવતીઓને પણ છેતરવામાં આવી હતી

આફતાબના પોલિગ્રાફ ટેસ્ટમાં સ્પષ્ટપણે ખુલાસો થયો કે તે કટ્ટર ઈસ્લામિક જેહાદી છે, હવે દિલ્હી પોલીસ તેનો નાર્કો ટેસ્ટ કરવા જઈ રહી છે. આફતાબ અમીન પૂનાવાલાને શ્રદ્ધા વાળકરની હત્યા અને તેના 35 ટુકડા કરવા બદલ કોઈ પસ્તાવો નથી. શ્રદ્ધા સાથેના લવ જેહાદ દરમિયાન તેના અન્ય 20 હિન્દુ યુવતીઓ સાથે પણ અફેર હતા. તેણે બમ્બલ એપ દ્વારા આ 20 હિન્દુ યુવતીઓ સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ભાગોને ફ્રીજમાં રાખ્યા બાદ તે એક હિન્દુ મનોચિકિત્સક યુવતીને પણ ઘરે લાવ્યો હતો. આફતાબે તે છોકરીને શ્રદ્ધાની વીંટી ભેટમાં આપી હતી. આવી ઓછામાં ઓછી 20 હિંદુ યુવતીઓને તેના લવ જેહાદમાં ફસાવી હતી.

 આ સમાચાર પણ વાંચો: આખરે આરેમાં મુંબઈ મેટ્રોનું કારશેડ બનશે જ. સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી. આ મહત્વનો ચુકાદો વળાંક સાબિત થશે.

આફતાબ ને કોઈ પસ્તાવો નથી

આફતાબ દિવસભરની પૂછપરછ અને પોલીગ્રાફ ટેસ્ટ પછી સારી રીતે ઊંઘે છે. તેની સાથે કોટડીમાં રખાયેલા બે કેદીઓ સાથે થોડી વાતચીત પણ કરે છે. પરંતુ આ બધા સમયે તેના ચહેરા પર કોઈ તણાવ નથી કે તેને શ્રદ્ધાની હત્યા કરવાનો પસ્તાવો નથી. આફતાબે શ્રદ્ધાની હત્યા કરવાનો નિર્ણય મુંબઈમાં જ લીધો હતો. આફતાબે અગાઉની પૂછપરછ અને બાદમાં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન તેની માહિતી પણ પોલીસને આપી હતી.

 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version