News Continuous Bureau | Mumbai
Ahmedabad plane crash ગત ૧૨મી માર્ચના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ કરુણાંતિકાના પડઘા વિશ્વભરમાં પડ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ સતત ખડેપગે રહીને રેસ્ક્યુ, રાહત, બચાવ સહિત પાર્થિવ દેહોને સ્વજનોને માનભેર પહોંચાડવા માટે સતતપણે કામગીરી કરી હતી. ઘણી સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રાઇવેટ સામાજિક, રાજકીય સંસ્થાઓએ પણ આ કપરા સમયમાં ખડેપગે રહીને કામગીરી કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Vikram 3201: જાણો શું છે વિક્રમ 3201? સેમિકોન ઈન્ડિયા 2025 કાર્યક્રમમાં કરવામાં આવ્યું તેનું અનાવરણ
અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ઘી કાંટાની મોટી હમામ પોળમાં ઉજવાતા ગણેશોત્સવમાં ગણેશ પંડાલને વિશીષ્ટ થીમમાં સજાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ, વહીવટી તંત્ર સહિતના વિભાગોની કામગીરીને આ થીમમાં આવરી લેવામાં આવી છે. શ્રી ગણેશના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય એ માટે પ્રભુને પ્રાર્થે છે.