Site icon

આંચકો! એર ઇન્ડિયા કર્મચારીઓને પગાર વિના લાંબી રજા પર મોકલશે, બોર્ડને મળી મંજૂરી.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 જુલાઈ 2020

એસ ઇન્ડિયા તેના કર્મચારીઓને 6 મહિનાથી લઇને 60 મહિના સુધી વેતન વિના મોકલવાની તૈયારી કરી રહ્યું છે અને આની જરૂરી પરવાનગી પણ મળી ગઈ છે. બોર્ડ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ એર ઇન્ડિયાના કેટલાક વધારાના સ્ટાફને પગાર વિના પાંચ વર્ષ સુધી રજા પર મોકલવાની ભલામણ કરી રહ્યું છે. આ મુદત પ્રથમ છ મહિનાથી લઈને બે વર્ષની રહેશે. ત્યાર બાદ જરૂર જણાય તો બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે, એમ સત્તાવાર આદેશમાં જણાવાયું છે. એરલાઇન્સ આ યોજના હાલની કટોકટીને પહોંચી વળવા અને વધારાના ખર્ચા ઘટાડવા માટે લાવી છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "મેનેજમેન્ટને કોઈપણ કર્મચારીનું મૂલ્યાંકન કરવાનો અને એરલાઇનની જરૂરિયાત, આરોગ્ય અને યોગ્યતાના આધારે અવેતન રજા પર મોકલવાનો અધિકાર છે." દરેકના કાર્યનું મૂલ્યાંકન કર્યાં પછી, અવેતન રજા પર મોકલવા માટેની કર્મચારીઓની સૂચિ તૈયાર થશે. આ સૂચિ પર સીએમડીની મંજૂરી બાદ કર્મચારીઓને અવેતન રજા પર મોકલવામાં આવશે.

ખાતાકીય વડાઓને 15 ઓગસ્ટ સુધીમાં આ યાદી એર ઈન્ડિયાના સીએમડીને મોકલવા કહેવાયું છે. એર ઇન્ડિયામાં લગભગ 13 હજાર કાયમી કર્મચારી છે, તેમના ઉપર માસિક 230 કરોડ રૂપિયા પગાર ખર્ચવામાં આવે છે. કંપની બિન-પરફોર્મિંગ કર્મચારીઓને અવેતન રજા પર મોકલીને પણ તેની રોકડ સમસ્યાથી છૂટકારો મેળવશે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ આ પગલુ એવા સમયે લીધું છે જ્યારે કેન્દ્ર સરકાર એરલાઇન્સ વેચવાનો પ્રયાસ કરી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version