Site icon

કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

Amid rising viral cases, Bharat Biotech working on H3N2 vaccine

કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

News Continuous Bureau | Mumbai

દેશમાં H3N2 એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. ઘણી જગ્યાએથી આ ખતરનાક વાયરસથી મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. આ વાયરસનો સામનો કરવા માટે, હવે હૈદરાબાદની રસી ઉત્પાદક ભારત બાયોટેકે રસી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કંપનીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડૉ. કૃષ્ણા ઈલાએ રસી બનાવવાની પુષ્ટિ કરી છે. ભારત બાયોટેકે અગાઉ જીવલેણ કોરોના વાયરસની કોવેક્સીન અને ઇન્ટ્રાનાસલ વેક્સીન iNCOVACC વિકસાવી હતી.

ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા

આ વખતે દેશના ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. સરકાર સાવચેતીનાં પગલાં લેવા પર ભાર મૂકી રહી છે જેમ કે માસ્ક પહેરવું, જાહેર સ્થળોએ જવાનું ટાળવું અને વારંવાર હાથ ધોવા વગેરે. આ વાયરસના કારણે ઘણા દર્દીઓના મોત પણ થયા છે. આવી સ્થિતિમાં આ અંગે ચિંતા વધી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ વાયરસ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : દેશમાં અહીં પેટ્રોલ 58 પૈસા મોંઘુ થયું, ડીઝલના ભાવ પણ વધ્યા; મુંબઈમાં શું છે ઇંધણના દરો.. અહીં ચેક કરો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા A ના H3N2 પેટા પ્રકારને કારણે ભારતમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. H3N2 ધરાવતા લોકોમાં ઈન્ફલ્યુએન્ઝા A ના અન્ય પેટાપ્રકાર કરતાં વધુ હોસ્પિટલમાં દાખલ થવાનો દર હોય છે. તેના લક્ષણોમાં વહેતું નાક, સતત ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version