Site icon

ગૃહમંત્રી અમિત શાહના શાંતિ માટેના આહ્વાન વચ્ચે મણિપુરમાં શાંતી. અમુક વિસ્તારમાં હિંસા

ગૃહ મંત્રી અમિત શાહ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લેવા માટે પોતે મણીપુર પહોંચી ગયા છે. અહીં તેઓ અનેક પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે.

Amit Shah at Manipur, after appeal for peace violence in some parts

Amit Shah at Manipur, after appeal for peace violence in some parts

News Continuous Bureau | Mumbai

ગૃહ મંત્રી અમિત શાહ હાલ મણીપુરમાં છે. મણિપુરના કેટલાક જિલ્લાઓમાં બુધવારે શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ડઝનેક ઘરોને આગ લગાડવામાં આવી હતી અને ગોળીબાર થયો હતો , જેણે હિંસામાં દિવસભરની શાંતીને તોડી પાડી હતી કારણ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વંશીય લડાઈમાં તેમના શાંતિ મિશન માટે ગયા હતા. તેમણે બે રાહત શિબીરોની મુલાકાત લીધી હતી. એક આશ્રય વિસ્થાપિત કુકી આદિવાસીઓને છે . જ્યારે કે બીજો, મેઇતેઇ પરિવારોનો છે.

Join Our WhatsApp Community

અમિત શાહે પોતે મણીપુરમાં ઉપસ્થિત રહીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ વિસ્તારના લોકો સાથે છે તેમજ પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્ન ચાલુ છે. જો કે અમિત શાહના આહવાન પછી પણ ઇન્ફાલના પૂર્વમાં હિંસા ફેલાઈ હતી. પરંતુ સુરક્ષા દળોએ બિષ્ણુપુર અને ચુરાચંદપુર સહિત વિવિધ સ્થળોએ નાગરિકોને નિશાન બનાવતા શંકાસ્પદ આતંકવાદીઓની પાછળ જતાં ખીણ અને પહાડીઓમાંથી ગોળીબાર કર્યો હતો. ક્રોસફાયરમાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

શાહ, જે ગુરુવારે સવારે 11 વાગ્યે ઇમ્ફાલમાં પ્રેસર યોજવાના હતા, તેમણે રાજ્યની રાજધાનીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બીજી સુરક્ષા સમીક્ષા યોજી, તેમણે આદેશ આપ્યા છે કે સશસ્ત્ર બદમાશોને પાઠ ભણાવવામાં આવે તેમજ જે શસ્ત્રોની લૂંટ કરવામાં આવી છે તે શસ્ત્ર પાછા લાવવામાં આવે. બીજી તરફ મુખ્યમંત્રી એન બિરેન સિંહે જાહેર આહવાન કર્યું છે કે મણિપુર પોલીસ અને ઈન્ડિયા રિઝર્વ બટાલિયનના શસ્ત્રાગાર લૂંટી લેનારા ટોળાને ચોરેલા શસ્ત્રો અને દારૂગોળો પરત કરી દે નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકારે ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. 3 મેના દિવસથી લાગુ થયેલો આ પ્રતિબંધ 5 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.

મીતેઈ ગામ ‘નાગરિક દળ’ની રચના કરવાની ચીમકી આપી.

મેઇતેઈ ગ્રામજનો અને સ્થાનિક નેતાઓએ મંગળવારે થૌબલ જિલ્લાના તેંથા ગામમાં એક જાહેર સભામાં કેન્દ્ર અને મણિપુર સરકારને ચેતવણી આપી હતી કે તેઓ શંકાસ્પદ કુકી આતંકવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓ સામે લોકોને બચાવવા માટે “નાગરિક સંરક્ષણ દળ”ની રચના કરશે.

આ સમાચાર પણ વાંચો:  કામના સમાચાર / ત્વચાને ઠંડક પહોંચાડવા માટે તમે પણ આઇસ ક્યૂબનો કરો છો ઉપયોગ? તો જાણી લો આ જરૂરી વાત

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version