Site icon

Akhil Bhartiya Rajbhasha Sammelan: ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ગૃહ મંત્રી અમિત શાહ કરશે સંબોધન, આ મેગેઝિનના ડાયમંડ જ્યુબિલી સ્પેશિયલ અંકનું કરશે લોકાર્પણ.

Akhil Bhartiya Rajbhasha Sammelan: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત, ગૃહ મંત્રાલયનો રાજભાષા વિભાગ 2021 થી દર વર્ષે અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજભાષા ડાયમંડ જ્યુબિલી નિમિત્તે ‘રાજભાષા ભારતી’ મેગેઝિનના ડાયમંડ જ્યુબિલી વિશેષ અંકનું લોકાર્પણ કરશે. શ્રી અમિત શાહ ડાયમંડ જ્યુબિલીને યાદગાર બનાવવા માટે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ લોન્ચ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી ભારતીય ભાષા અનુભાગનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હિન્દી અને ભારતીય ભાષાઓના વિકાસ અને તેમની વચ્ચે વધુ સારા સંકલન પર સતત ભાર આપી રહ્યા છે. ભારતીય ભાષા અનુભાગની સ્થાપના હિન્દીની સાથે ભારતીય ભાષાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમની વચ્ચે બહેતર સંકલન સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે

Amit Shah will address the 4th Akhil Bhartiya Rajbhasha Sammelan, will launch the Diamond Jubilee Special Issue of this magazine.

Amit Shah will address the 4th Akhil Bhartiya Rajbhasha Sammelan, will launch the Diamond Jubilee Special Issue of this magazine.

News Continuous Bureau | Mumbai 

Akhil Bhartiya Rajbhasha Sammelan: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શનિવાર, 14 સપ્ટેમ્બર, નવી દિલ્હીમાં સત્તાવાર ભાષાની ડાયમંડ જ્યુબિલી ઉજવણી અને ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધન કરશે. સત્તાવાર ભાષા વિભાગ હિન્દીને સત્તાવાર ભાષા બનવાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 14-15 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈને અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના ( Amit Shah ) સક્ષમ માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયનો સત્તાવાર ભાષા વિભાગ વર્ષ 2021થી દર વર્ષે અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી સત્તાવાર ભાષાની ડાયમંડ જ્યુબિલી નિમિત્તે ‘રાજભાષા ભારતી’ ( Rajbhasha Bharti ) મેગેઝિનના ડાયમંડ જ્યુબિલી સ્પેશિયલ અંકનો શુભારંભ કરાવશે. શ્રી અમિત શાહ ડાયમંડ જ્યુબિલીને યાદગાર બનાવવા માટે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ લોંચ કરશે. ગૃહમંત્રી આ પ્રસંગે રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ એવોર્ડ પણ અર્પણ કરશે. આ સાથે જ કેટલાક વધુ પુસ્તકો અને મેગેઝિન બહાર પાડવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી ભારતીય ભાષા ( Indian Language ) અનુભાગનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હિંદી ( Hindi Diwas ) અને ભારતીય ભાષાઓના વિકાસ તથા તેમની વચ્ચે શ્રેષ્ઠ સમન્વય પર સતત ભાર મૂકી રહ્યા છે. બંધારણનો ઉદ્દેશ અને પ્રધાનમંત્રીના નિર્દેશને ધ્યાનમાં રાખીને હિન્દીની ( Hindi ) સાથે ભારતીય ભાષાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાના અને તેમની વચ્ચે વધુ સારા સંકલન સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે ગૃહ મંત્રાલયનાં સત્તાવાર ભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભગ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વર્ષ 2019માં દેશના વિવિધ શહેરોમાં મોટા પાયે હિન્દી દિવસના આયોજનની કલ્પના કરી હતી. આ સંકલ્પનાને સાકાર કરતા વર્ષ 2021માં વારાણસીમાં હિંદી દિવસ અને પ્રથમ અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2022માં સુરત અને 2023માં પુનામાં હિન્દી દિવસ અને બીજા અને ત્રીજા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોએ દેશભરના સત્તાવાર ભાષાના કર્મચારીઓ અને અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : GSRTC: ગુજરાતમાં નવા યુગની નવી બસોની થઇ શરૂઆત, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આટલી નવીન હાઈ ટેક વોલ્વો બસોને લીલી ઝંડી બતાવી

રાષ્ટ્રીય રાજધાનીમાં હિન્દી દિવસ કાર્યક્રમ અને ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન એ અર્થમાં પણ વિશેષ છે કે સત્તાવાર ભાષા વિભાગ આ પ્રસંગને ડાયમંડ જ્યુબિલી તરીકે ઉજવી રહ્યું છે. હિન્દીની સત્તાવાર ભાષા બનવાની 75 વર્ષની સફરે ન માત્ર ઘણા મહત્વપૂર્ણ સિમાચિહ્નો પાર કર્યા છે, પરંતુ તકનીકીના ક્ષેત્રમાં પણ સતત પ્રગતિ કરી છે.

બે દિવસીય ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં છેલ્લા 75 વર્ષમાં હિન્દીને સત્તાવાર ભાષા, જાહેર ભાષા અને સંપર્ક ભાષા તરીકે થયેલી પ્રગતિ પર ગહન ચર્ચા કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરના રોજ કોન્ફરન્સના પ્રથમ દિવસે લંચ બાદના સત્રમાં ‘સત્તાવાર ભાષા ડાયમંડ જ્યુબિલી – હિન્દીની સત્તાવાર ભાષા તરીકેની પ્રગતિ, જાહેર ભાષા અને 75 વર્ષમાં સંપર્ક ભાષા’ વિષય પર ચર્ચા થશે. જ્યારે બીજું સત્ર ‘ભારતનો સાંસ્કૃતિક વારસો અને હિન્દી’ હશે, જેને હિન્દીના લોકપ્રિય કવિ અને વકતા ડો.કુમાર વિશ્વાસ સંબોધન કરશે.

15 સપ્ટેમ્બરના રોજ યોજાનારી કોન્ફરન્સના ત્રીજા સત્રમાં, દેશના પ્રખ્યાત ભાષાશાસ્ત્રીઓ અને લેક્સિકોગ્રાફર્સ ‘ભાષા શિક્ષણમાં શબ્દકોશની ભૂમિકા અને દેવનાગરી લિપિની વિશેષતા’ પર તેમના મંતવ્યો રજૂ કરશે. ચોથું સત્ર ‘તકનીકીના યુગમાં સત્તાવાર ભાષા હિન્દીના અમલીકરણમાં “ટાઉન ઓફિશિયલ લેંગ્વેજ કમિટીનું યોગદાન” પર હશે.

પાંચમું સત્ર ‘ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સક્શ્ય અધિનિયમ 2023: એક ચર્ચા’ પર હશે, જેને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ સંબોધિત કરશે. છેલ્લું સત્ર ‘ભારતીય સિનેમા, હિન્દી ભાષાના વિકાસ માટેનું એક શક્તિશાળી માધ્યમ’ હશે, જેને જાણીતા અભિનેતા શ્રી અનુપમ ખેર અને જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી સંબોધન કરશે.

રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને શ્રી બંદી સંજય કુમાર, સંસદીય સત્તાવાર ભાષા સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ભર્તૃહરિ મહતાબ અને સમિતિના અન્ય સભ્યો, ભારત સરકારના સચિવો, વિવિધ બેંકોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ), દક્ષિણ ભારતના બે હિન્દી વિદ્વાનો,  ઉદઘાટન સત્રમાં પ્રોફેસર એમ. ગોવિંદરાજન અને પ્રોફેસર એસ. આર. સરરાજુ તથા હિંદી જગતના બે પ્રસિદ્ધ વિદ્વાનો પ્રો. સૂર્યપ્રસાદ દીક્ષિત અને ડૉ. હરિઓમ પંવાર ઉપસ્થિત રહેશે. બે દિવસીય આ સંમેલનમાં 10,000થી વધુ સહભાગીઓ ભાગ લે તેવી શક્યતા છે, જેમાં દેશભરના રાજબહાસના અધિકારીઓ તેમજ હિન્દી વિદ્વાનો અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Surat : સુરતના આ તાલુકાની મહિલા પશુપાલકોએ મહુવાના સણવલ્લા સ્થિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની લીધી મુલાકાત

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version