Site icon

કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારવા વધુ એક સરકારી પેનલે ભલામણ કરી. તો શું હવે બીજો ડોઝ પણ લાંબા સમય પછી મળશે? જાણો ક્યારે મળશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં દરરોજ કંઈક ને કંઈક નવા બદલાવ થઈ રહ્યા છે. સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૨૮ દિવસથી વધારી અને ૪૨ દિવસ કરવામાં આવી. હવે વધુ એક સરકારી પેનલે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારી ૧૨થી ૧૬ અઠવાડિયાં કરવાની ભલામણ કરી છે.

નેશનલ ટેક્નિકલ એડ્વાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)એ સરકારને કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨થી ૧૬ અઠવાડિયાંનું અંતર રાખવાની ભલામણ કરી છે. જોકેકોવાક્સિનના ડોઝ માટે ફેરફારોની ભલામણ કરવામાં આવી નથી. કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો આગ્રહ ત્યારે  થઈ રહ્યો છે જ્યારે રસી બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યુટ રસીના ઉત્પાદનમાં સંઘર્ષ કરી રહી છે અને માગ પ્રમાણે ઉત્પાદન થઈ રહ્યું નથી.

બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું; વિધાનસભામાં સંખ્યાબળ ૭૫ પર પહોંચ્યું, જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે નીમેલી તજ્જ્ઞોની સમિતિ કોવિશિલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે છ અઠવાડિયાં બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેની અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયાં બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% થઈ જાય છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version