Ayodhya: કર્ણાટકના આ મૂર્તિકાર બન્યા ભાગ્યશાળી. રામ મંદિર માં તેમની બનાવેલી મૂર્તિ સ્થાપિત થશે, જાણો વિગત. જુઓ વિડિયો.

Ayodhya: 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે, દેશભરમાં ઉત્સાહનો માહોલ સર્જાય રહ્યો છે. તેમાં હવે મંદિરમાં રામલલ્લાની કઈ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે નક્કી થઈ ગયું છે.

by Bipin Mewada
Arun Yogiraj from Karnataka became lucky. Ramlalla's idol made by him will be installed in the Ram Mandir Ayodhya

News Continuous Bureau | Mumbai 

Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક માટે મૂર્તિની ( Ram lalla Idol ) પસંદગી આખરે નક્કી થઈ ગઈ છે. કર્ણાટકના ( Karnataka ) મૈસૂરના જાણીતા શિલ્પકાર ( Sculptor ) યોગીરાજ અરુણ ( Arun Yogiraj  ) દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પસંદગી કરવામાં આવી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી શ્રી રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે અને આ મૂર્તિને અભિષેક ( Ram Mandir Pran Pratishtha ) માટે પસંદ કરવામાં આવી છે. 

શિલ્પકાર યોગીરાજ અરુણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) પણ આ બાબતે મળ્યા હતા. તે સમયે અરુણે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષ ચંદ્ર બોઝની( Subhash Chandra Bose )  પ્રતિમાની મુલાકાત લીધી હતી અને પીએમ મોદીએ તેમની કળાના વખાણ પણ કર્યા હતા. તે બાદ પ્રતીમા માટે ચર્ચા પણ થઈ હતી. જેમાં મીટિંગના ફૂટેજ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતા થયા હતા. યોગીરાજ અરુણે 2008માં મૈસુર યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેઓ પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર છે.

અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની શ્યામ વર્ણ મૂર્તિ 51 ઈંચ ઊંચી છે. મૂર્તિમાં ભગવાન 5 વર્ષના બાળકના રૂપમાં છે. તે ધનુષ અને તીર સાથે છે. આ મૂર્તિ કર્ણાટકના કૃષ્ણની શિલામાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા બનાવવામાં અરુણ યોગીરાજને 6 મહિના લાગ્યા હતા.

22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનો અભિષેક વિધિ કરવામાં આવશે..

બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું કે રાજ્યના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ‘રામલલા’ની મૂર્તિને અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં પવિત્ર કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનો અભિષેક વિધિ કરવામાં આવશે. યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમ પણ જણાવ્યું હતું કે આ સાથે જ રાજ્યના તમામ રામ ભક્તોનું ગૌરવ અને ખુશી બમણી થઈ ગઈ છે. શિલ્પકાર યોગીરાજ અરુણને હાર્દિક અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : GST Collection : દેશના અર્થતંત્ર મોરચે સારા સમાચાર, પહેલી જ તારીખે આવ્યા ગુડ ન્યૂઝ, સરકારી તિજોરીમાં ડિસેમ્બર મહિને થયું સૌથી વધુ GST કલેક્શન

રામલલાના દર્શન માટે પૂજનીય અક્ષતનું વિતરણ સોમવારથી શરૂ થયું હતું. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનનો હેતુ દેશના 5 લાખ ગામડાઓમાંથી 11 કરોડ પરિવારોને આમંત્રિત કરવાનો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અયોધ્યાના વાલ્મીકી બસ્તી, તુલશીનગરથી આ અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી અયોધ્યા મહાનગર અને ગ્રામીણ વિસ્તારોમાંથી અક્ષત વિતરણનો કાર્યક્રમ શરૂ થયો હતો. અક્ષત વિતરણ અભિયાન દરમિયાન 500 લોકોને અક્ષત ધરાવતા પેકેટ આપવામાં આવશે.એમ એક સંસ્થાના અધિકારીએ જણાવ્યું હતું..

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More