News Continuous Bureau | Mumbai
Assembly Election Results: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) એ ગયા વર્ષે રાજ્યસભામાં કહ્યું હતું કે, ‘ એક અકેલા કિતનો પર ભારી.’ રવિવારે (3 ડિસેમ્બર) જ્યારે હિન્દી હાર્ટલેન્ડ તરીકે ઓળખાતા ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ( Assembly Election ) પરિણામો જાહેર થયા ત્યારે આ નિવેદન સાચું સાબિત થતું દેખાયું. ( Rajasthan ) રાજસ્થાન, મધ્યપ્રદેશ ( Madhya Pradesh ) અને છત્તીસગઢ ( Chhattisgarh ) ત્રણેય રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. આ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભાજપે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કર્યા વિના ચૂંટણી લડી હતી.
મધ્યપ્રદેશમાં ભાજપ ( BJP ) નું સૂત્ર હતું ‘એમપીના મનમાં મોદી’. આ સૂત્ર માત્ર મધ્યપ્રદેશ પૂરતું જ સીમિત ન હતું, પરંતુ તેની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી હતી. પાર્ટીના કોઈ એક જ ચહેરા પર ચૂંટણી લડવાને બદલે પાર્ટીએ સામૂહિક નેતૃત્વના આધારે ચૂંટણી લડી, જેના પરિણામે વિજય થયો. ચૂંટણી પરિણામોને ‘મોદીની ગેરંટી’ માટેના મત તરીકે પણ જોઈ શકાય છે. આ ટેગલાઇનનો ઉપયોગ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ ( Congress ) ની ગેરંટીનો સામનો કરવા માટે કરવામાં આવ્યો હતો.
#WATCH | Nation is watching how an individual is strongly facing many. They (Opposition parties) don’t have enough slogans and have to change their slogans. I am living for the country…: PM Modi in Rajya Sabha pic.twitter.com/bfzzQyhSNm
— ANI (@ANI) February 9, 2023
જનતાને પીએમ મોદી પર પૂર્ણ વિશ્વાસ છે…
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારત મંડપમના અનાવરણ દરમિયાન પીએમએ પહેલીવાર ‘મોદીની ગેરંટી’નો ઉપયોગ કર્યો હતો. આ વિધાનસભા ચૂંટણી માટે વાતાવરણ તૈયાર કરવાનું કામ કર્યું હતું. પાર્ટીના નેતાઓએ પણ દરેક જગ્યાએ એ વાત પર ભાર મૂક્યો કે પીએમ મોદી દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે તે ચોક્કસપણે પૂરા થાય છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે લોકો કોંગ્રેસે આપેલી ગેરંટી કરતાં મોદીની ગેરંટી પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Michaung Effect: ‘મિચોંગ’ તોફાનનો વધ્યો ખતરો.. તમિલનાડુમાં હાઈ એલર્ટ, આ રાજ્યોમાં થશે મુશળધાર વરસાદ, 144 ટ્રેનો રદ…
ચૂંટણીના પરિણામોએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે જનતાને પીએમ મોદી પર પૂર્ણ વિશ્વાસ છે. લોકોમાં તેમની વિશ્વસનીયતા પણ અકબંધ છે. ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીત એવા સમયે આવી છે. જ્યારે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ક્યાંકને ક્ચાંક પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડ પર નજર રાખી રહ્યા છે. જો ભાજપ 2024ની લોકસભા ચૂંટણી જીતે તો પીએમ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાની તક મળશે.