Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: આ ગુજરાતી પરિવારે તૈયાર કરી છે રામ મંદિરની ડિઝાઈન.. બે-ચાર નહીં પરંતુ પંદર પેઢીઓથી કરી રહ્યું છે આ જ કામ..

Ayodhya Ram Mandir: રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. કામનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. પરંતુ શું તમે જાણો છો, આ મંદિરની ડિઝાઈન કોણે બનાવી? ચાલો જાણીએ અહીં..

Ayodhya Ram Mandir This Gujarati family has prepared the design of Ram temple, not two-four, but it has been doing the same work for fifteen generations.

Ayodhya Ram Mandir This Gujarati family has prepared the design of Ram temple, not two-four, but it has been doing the same work for fifteen generations.

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: અયોધ્યામાં ( Ayodhya ) રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. કામનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. પરંતુ શું તમે જાણો છો, આ મંદિરની ડિઝાઈન કોણે બનાવી છે? ઘણા લોકોને આ પ્રશ્ન થતો હશે. તો તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિરની ડિઝાઈન ( Ram temple design ) ચંદ્રકાંત સોમપુરા દ્વારા બનાવવામાં આવી હતી જેમણે સોમનાથ મંદિર, મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર, કોલકાતામાં બિરલા મંદિરની ડિઝાઈન પણ તૈયાર કરી હતી. મંદિરની રચના કરનારી આ તેમની પંદરમી પેઢી છે. આ મંદિર 161 ફૂટ ઊંચું છે. તેમજ 28,000 ચોરસ મીટરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

સોમપુરા પરિવારની ( Sompura family ) 15 પેઢીઓ મંદિરની રચનાનું કામ કરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) પૂર્વ પ્રમુખ અશોક સિંઘલે 32 વર્ષ પહેલા રામ મંદિરની ડિઝાઇન માટે ચંદ્રકાંત સોમપુરાનો સંપર્ક કર્યો હતો અને તેને આ કામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચંદ્રકાંત સોમપુરાએ ( Chandrakant Sompura ) 1990માં મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. જેમાં સાધુસંતે 1990માં કુંભ મેળામાં તેની ડિઝાઇનને મંજૂરી આપી હતી. 2020માં કોર્ટના નિર્ણય બાદ હાલના મંદિરનું નિર્માણ ડિઝાઇનમાં કેટલાક ફેરફારો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ચંદ્રકાંત સોમપુરાએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 200 થી વધુ મંદિરોની રચના કરી છે. જેમાં ચંદ્રકાંત સોમપુરાના દાદા પ્રભાશંકર ઓગડભાઈએ નવા સોમનાથ મંદિરની રચના કરી હતી.

આ સમાચાર પણ વાંચો : South Africa 55 Runs: ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટમાં સિરાજનો સપાટો.. સાઉથ આફ્રિકાને માત્ર 55માં કર્યું ઓલઆઉટ.. જાણો વિગતે..

રામ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી…

ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે રામ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રામ મંદિર માટે બંસી પહાડપુરના ગુલાબી પથ્થર અને સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી મંદિર હજારો વર્ષો સુધી એવું ને એવું જ રહેશે. બંસી પહાડપુરનો પથ્થર જેટલો જૂનો થાય છે, તેટલો મજબૂત બને છે. રામ મંદિરના નિર્માણમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સ્ટીલનું આયુષ્ય ઓછું હોય છે. લોખંડ અને સ્ટીલમાં થોડા સમય પછી જંગ પણ પડે છે. જેના કારણે 80-100 વર્ષ બાદ તેનું સમારકામ કરાવવું પડે છે. આ કારણથી મંદિરના નિર્માણમાં બંસી પહાડપુર પથ્થર અને રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી મંદિર હજારો વર્ષો સુધી મજબૂત રહેશે.

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Exit mobile version