ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરના નિર્માણ માટે જમીનને સાફ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટ્રસ્ટે પરિસરમાં એડવર્ડ તીર્થ વિવેચની સભા દ્વારા લગાવવામાં આવેલા પથ્થરને ન હટાવવાનો નિર્ણય લીધો છે. આ શિલાપટ 1902માં અયોધ્યા તીર્થ વિવેચનની સભાના માધ્યમથી લગાવવામાં આવ્યો હતો અને બાજુમાં એક પરીક્ષણ ધ્રુવ પણ છે, જે રામનું જન્મસ્થળ હોવાનું સાબિત કરે છે. આ જ કારણે શિલાપટને દૂર કરવામાં આવશે નહીં. આ સ્થળેથી ભગવાન શ્રી રામલલા વિરાજમાન સ્થાનને ચિહ્નિત કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રી રામલાલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, પરિસરમાં લગેલો શિલાપટ શ્રી રામલલા વિરાજમાન સ્થળને ચિહ્નિત કરે છે. જે અયોધ્યા તીર્થ વિવેચની સભા દ્રારા રામ જન્મ સ્થળને ચિહ્નિત કરવામાં આવ્યું હતું. 9 નવેમ્બરના રોજ લેવાયેલા નિર્ણયમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ પથ્થર રામલલાના જન્મ સ્થાનને પ્રમાણ આપે છે. આ જ કારણે આ પથ્થરને નહીં હટાવવામાં આવે. આ ગર્ભગૃહ સ્થળ પર બિરાજમાન રામલલાના સ્થાનને દર્શાવે છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા મુજબ, પુરાતત્ત્વના અવશેષો અને કસોટીના સ્તંભોને રામ જન્મભૂમિના સમતલીકરણ વખતે સુરક્ષિત રાખવામાં આવશે, જેથી શ્રદ્ઘાળુઓ તેના દર્શન કરી શકે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community