Site icon

રામ જન્મભૂમિ ટ્રસ્ટ મંદિર પરિસરમાં આવેલા પ્રાચીન પથ્થર અને કસોટી સ્તંભ નહીં હટાવે… પરંતુ કેમ જાણો અહીં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ઓગસ્ટ 2020

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરના નિર્માણ માટે જમીનને સાફ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટ્રસ્ટે પરિસરમાં એડવર્ડ તીર્થ વિવેચની સભા દ્વારા લગાવવામાં આવેલા પથ્થરને ન હટાવવાનો નિર્ણય લીધો છે. આ શિલાપટ 1902માં અયોધ્યા તીર્થ વિવેચનની સભાના માધ્યમથી લગાવવામાં આવ્યો હતો અને બાજુમાં એક પરીક્ષણ ધ્રુવ પણ છે, જે રામનું જન્મસ્થળ હોવાનું સાબિત કરે છે. આ જ કારણે શિલાપટને દૂર કરવામાં આવશે નહીં. આ સ્થળેથી ભગવાન શ્રી રામલલા વિરાજમાન સ્થાનને ચિહ્નિત કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રી રામલાલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, પરિસરમાં લગેલો શિલાપટ શ્રી રામલલા વિરાજમાન સ્થળને ચિહ્નિત કરે છે. જે અયોધ્યા તીર્થ વિવેચની સભા દ્રારા રામ જન્મ સ્થળને ચિહ્નિત કરવામાં આવ્યું હતું.  9 નવેમ્બરના રોજ લેવાયેલા નિર્ણયમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ પથ્થર રામલલાના જન્મ સ્થાનને પ્રમાણ આપે છે. આ જ કારણે આ પથ્થરને નહીં હટાવવામાં આવે. આ ગર્ભગૃહ સ્થળ પર બિરાજમાન રામલલાના સ્થાનને દર્શાવે છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા મુજબ, પુરાતત્ત્વના અવશેષો અને કસોટીના સ્તંભોને રામ જન્મભૂમિના સમતલીકરણ વખતે સુરક્ષિત રાખવામાં આવશે, જેથી શ્રદ્ઘાળુઓ તેના દર્શન કરી શકે… 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version