Site icon

કોરોના કાંડ – બરાબરના ફસાયા યોગગુરુ બાબા રામદેવ, સરકારે કીધું શરદી ખાંસીની દવા, બિહારમાં એફઆઈઆર દાખલ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યુરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

24 જુન 2020

બાબા રામદેવે ગઈકાલે ધામધૂમથી કોરોનાની આયુર્વેદિક દવા તરીકે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા બજારમાં લોન્ચ કરી છે. જેના પ્રચાર પ્રસાર પર કેન્દ્રીય મંત્રાલય હવે રોક લગાવી દીધી છે આ સાથે જ ઉત્તરાખંડ સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે. જ્યારે ઉત્તરાખંડ આયુષ મંત્રાલયની દલીલ છે કે, તેમણે પતંજલિ ને ઇમ્યુનિટી બુસ્ટરની દવા ઉત્પાદન કરવાનું લાયસન્સ આપ્યું હતું. 

હવે આયુષ મંત્રાલએ બાબા રામદેવની પતંજલિ પાસે કરોના સંશોધન કર્યા હોવાના દાવા સબંધી માહિતીઓ પુરાવા સહિત માંગી છે. આ સાથે જ મંત્રાલય એ તપાસ પણ કરશે કે આ દવા, કોરોનાની દવા કેવી રીતે બની ગઈ!? અને દવાની કીટનું વિજ્ઞાપન કેમ કોરોનાની દવા તરીકે કરવામાં આવી રહ્યું છે. કારણ કે પતંજલિ ને આપવામાં આવેલા લાયસન્સમાં તાવ, શરદી, ખાંસીની દવા બનાવવાની પરવાનગી હતી. તેને કોરોના ની દવા કહી કેમ બજારમાં મુકી એની ઊંડી તપાસ મંત્રાલય કરશે.

બીજી બાજુ પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ નું કહેવું છે કે "તેઓની દવા 100 ટકા સાચી છે અને કોરોનામાં ઉપયોગી થશે એ દાવો પણ સાચો જ છે. કેન્દ્રીય આયુષ મંત્રાલએ આ ઘટના સંબંધી જે કંઈ માહિતી મંગાવી છે તે અમે સરકારને રજુ કરી છે" સાથે જ આયુષ મંત્રાલયએ પણ સ્પષ્ટતા કરવી પડી છે કે બાબા રામદેવની પતંજલિ દ્વારા કરવામાં આવેલા દાવાઓ અંગે તેમને કોઈ માહિતી નથી અને તેમને પણ સમાચાર માધ્યમથી જ આ ઉત્પાદનની જાણ થઈ છે..

આ સઘળા વિવાદ વચ્ચે યોગના ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version