News Continuous Bureau | Mumbai
Bangladesh protests: જ્યારે બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી ત્યારે ભારતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા. તે સમયે શેખ હસીના પોતાનો દેશ છોડીને જઈ રહી હતી. સુરક્ષા એજન્સીઓએ દરેક શક્યતાઓ માટે તૈયારી કરી હતી કારણ કે હસીના એરફોર્સના જેટમાં ભારત આવી રહ્યા હતા.
Bangladesh protests: શેખ હસીનાની એન્ટ્રી પહેલા એલર્ટ પર 2 રાફેલ
મીડિયા રિપોર્ટ મુજબ બપોરના 3 વાગ્યાની આસપાસ ભારતીય વાયુસેનાના રડારે બાંગ્લાદેશથી ભારતીય સરહદની નજીક નીચું ઉડતું વિમાન જોયું. તેને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી કારણ કે ત્યાં સુધીમાં એરફોર્સ અધિકારીઓને ખબર પડી ગઈ હતી કે અંદર કોણ છે. એટલું જ નહીં સુરક્ષા પૂરી પાડવા માટે તરત જ બે ફાઈટર રાફેલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા હતા. આ બંને રાફેલ જેટ્સે પશ્ચિમ બંગાળના હાશિમારા એર બેઝના 101 સ્ક્વોડ્રનથી ઉડાન ભરી હતી અને આવનારા એરક્રાફ્ટને સુરક્ષા પૂરી પાડી હતી. અહીં જમીન પર સુરક્ષા એજન્સીઓ આવનારી ફ્લાઈટના રૂટ પર સતત નજર રાખી રહી હતી. ભારતીય વાયુસેના અને આર્મી ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને જનરલ ઉપેન્દ્ર ચૌધરી સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા હતા.
Bangladesh protests: બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય પર ચર્ચા
શેખ હસીનાનું જેટ સાંજે લગભગ પોણા છ વાગ્યે હિંડન એર બેઝ પહોંચ્યું. ત્યાં તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઝ કમાન્ડરે તેમનું સ્વાગત કર્યું. જે બાદ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને મળ્યા હતા. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. તે દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશે ચર્ચા થઈ હતી. શેખ હસીનાને મળ્યા બાદ ડોભાલ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Bangladesh unrest: બાંગ્લાદેશ ના તખ્તાપલટની અસર ભારત પર, દેશના આ રાજ્યમાં લાગુ થયો નાઇટ કર્ફ્યુ..
Bangladesh protests: શેખ હસીનાએ સેફ હાઉસમાં રાત વિતાવી
અહેવાલો મુજબ શેખ હસીનાએ હિંડન એર બેઝના સેફ હાઉસમાં રાત વિતાવી હતી. તેમની સુરક્ષા માટે એર સર્વિસના ગરુડ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે ભારતીય એરબેઝના મુખ્ય દ્વારથી અંદર સુધી દરેક જગ્યાએ વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સેફ હાઉસમાં કોઈને જવાની પરવાનગી નથી. ભવિષ્યની સ્થિતિ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે આજે પણ શેખ હસીના ભારતીય એર બેઝના સેફ હાઉસમાં જ પોતાની બહેન સાથે સમય વિતાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના મંગળવારે સવારે જે પ્લેન દ્વારા આવ્યા હતા. તે વિમાન બાંગ્લાદેશ પરત ફર્યું હતું.
Bangladesh protests: બાંગ્લાદેશમાં હિંસક પ્રદશન
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દેશભરમાં ફેલાઈ ગયા બાદ ઢાકામાં પણ દેખાવકારોએ તોડફોડ કરી હતી અને હંગામો મચાવ્યો હતો. આ પછી સેનાએ ચાર્જ સંભાળ્યો અને શેખ હસીનાને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું. આ પછી તે 5 ઓગસ્ટે બપોરે 2.30 વાગ્યાની આસપાસ દેશ છોડી દીધો હતો. વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ હિંસક બની ગયું હતું. પ્રદર્શનકારીઓએ પીએમ આવાસમાં ઘૂસીને ભારે તોડફોડ અને લૂંટફાટ કરી હતી.