Site icon

નાના બાળકોએ માસ્ક પહેરવા કે નહીં? કેન્દ્ર સરકારે બહાર પાડી તેને લઈને નવી માર્ગદર્શિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

દેશમાં રોજ નોંધાઈ રહેલા કોરોનાના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ખાસ કરીને  તેમાં બાળકોને માસ્ક પહેરવાથી લઈને તેમની સારવાર માટેની નવી સૂચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નવા સૂચનો ખૂબ જ મહત્વના છે.

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર બાળકો માટે માસ્ક પહેરવાની લઈને સ્પષ્ટતા કરી છે કે પાંચ  વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. એ જ રીતે, કોરોના ચેપની ગંભીરતાને જોતા, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે એન્ટિવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝના ઉપયોગની ભલામણ કરી શકાતી નથી. બાળકો માટે કોવિડની માર્ગદર્શિકામાં કેન્દ્ર સરકારે એ જણાવ્યું હતું કે જો સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેને ઓછામાં ઓછા 10 થી 14 દિવસ ડાયલ્યૂટ કરીને આપવું જોઈએ. 

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ રાજ્યમાં છે સૌથી વધુ સક્રિય કેસ- આરોગ્ય સચિવ

આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ પાંચ  વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી. 6-11 વર્ષની વયના બાળકો તેમના માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે માસ્ક પહેરી શકે છે. 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકો જેવા જ માસ્ક પહેરવા જરૂરી છે. 
મંત્રાલયે જણાવ્યું હતું કે અલગ-અલગ દેશોમાંથી ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટથી થતો ચેપ ઓછો ગંભીર છે. પરંતુ તેની કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર છે.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version