Site icon News Continuous Bureau | Mumbai

Bharat Jodo Yatra 2: 2024માં PM મોદીને પડકાર! કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળશે, જાણો ક્યારે થશે શરૂઆત..

Bharat Jodo Yatra 2: કોંગ્રેસ ફરી એકવાર ભારત જોડો યાત્રાની તૈયારી કરી રહી છે. જો કે, આ યાત્રાનું આયોજન હાઇબ્રિડ હશે. તે આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

Bharat Jodo Yatra 2 Bharat Jodo Yatra 2 under consideration, likely between December and February 2024 Report

Bharat Jodo Yatra 2 Bharat Jodo Yatra 2 under consideration, likely between December and February 2024 Report

News Continuous Bureau | Mumbai

Bharat Jodo Yatra 2: કોંગ્રેસ (Congress) પાર્ટી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષ એટલે કે 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે. આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારી થી યાત્રા શરૂ કરી હતી, જે 30 જાન્યુઆરી 2023ના રોજ કાશ્મીરમાં સમાપ્ત થઈ હતી. તેનો ફાયદો પાર્ટીને કર્ણાટક ચૂંટણીમાં મળ્યો હતો. હવે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે.

Join Our WhatsApp Channel

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ડિસેમ્બર (December) થી ફેબ્રુઆરી 2024 વચ્ચે યોજવામાં આવી શકે છે. આ પહેલા મધ્યપ્રદેશ (Madhya prades) માં વિધાનસભા ચૂંટણીને (Assembly election) ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી 13 નવેમ્બરે ભોપાલમાં પદયાત્રા કરશે. હાલ રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડ (Uttarakhand) માં છે જ્યાં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Diwali Bonus: દિવાળી પહેલા આ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આવી ખુશખબર, રૂ. 7 હજારનું મળશે દિવાળી બોનસ!

મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીના સ્ફોટક કાર્યક્રમો

જો આપણે વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમોની વાત કરીએ તો આવતીકાલે એટલે કે બુધવારે (8 નવેમ્બર) તેઓ છત્તીસગઢના અંબિકાપુરમાં હશે. આ પછી 9 નવેમ્બરે મધ્યપ્રદેશના જબલપુર, 10 નવેમ્બરે સતના અને 13 નવેમ્બરે ભોપાલમાં કાર્યક્રમ છે.

શું આ વખતની યાત્રા અગાઉની ભારત જોડો યાત્રા કરતા અલગ હશે?

આ પહેલા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ જમ્મુ-કાશ્મીરથી તેનું સમાપન કર્યું હતું. ભારત જોડો યાત્રા 2.0 આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા અગાઉની યાત્રા કરતા અલગ હશે. ગત વખતે રાહુલ ગાંધીએ પગપાળા યાત્રા કરી હતી, જ્યારે આ વખતે યાત્રા ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા પૂર્ણ થશે.

Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
India Rescue Operation Nepal ચીનનેપાળ સરહદે કુદરતી આફત ૪૦૦ ભારતીયો ફસાયા, ૧૦૦ લાપતા; ભારત સરકારનો મેગા રેસ્ક્યૂ પ્લાન તૈયાર
Exit mobile version