Site icon

Indian Railway: ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ‘આ’ કોચ બનશે જનરલ કોચ? શું છે આ સુચનો.. જાણો સમગ્ર વિગતો અહીં…

Indian Railway: રેલ્વે મંત્રાલયના ઝોનલ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નિર્ણય જનરલ કોચ પર મુસાફરોનો ભાર ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. ખાસ કરીને દિવસની ટ્રેનોમાં આ યોજનાનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

Railway News : Increase in facility, pantry car facility made available in this weekly express train..

Railway News : સુવિધામાં વધારો, આ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવી પેન્ટ્રી કારની સુવિધા..

News Continuous Bureau | Mumbai 

Indian Railway: ભારતમાં રેલ્વેનું વિશાળ નેટવર્ક છે. ભારતીય રેલ્વે (Indian Railway) દરેક વર્ગ પ્રમાણે મુસાફરીની સુવિધા પૂરી પાડે છે. જનરલ કોચથી લઈને ફર્સ્ટ એસી કોચ સુધી, દરેક પેસેન્જર પોષાય તેવા કોચમાં મુસાફરી કરે છે. પરંતુ જનરલ કોચ (General Coach) માં મુસાફરોની વધતી સંખ્યાને જોતા ભારતીય રેલ્વેએ મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે રેલવે બોર્ડે નિર્દેશ આપ્યો છે, જો મુસાફરોની સંખ્યા ઓછી હોય તો ટ્રેનના સ્લીપર કોચ (Sleeper Coach) ને જનરલ કોચમાં બદલવાનો રહેશે. ખાસ કરીને દિવસની ટ્રેનોમાં આ યોજનાનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. રેલ્વે મંત્રાલયના ઝોનલ ઓથોરિટી (Zonal Authority) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નિર્ણય જનરલ કોચ પર મુસાફરોનો ભાર ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ટ્રેનના સ્લીપર કોચને જનરલ કોચમાં બદલવાની ભલામણ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે માટે વધારાની આવક ઊભી કરવાનો અને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને સુવિધા પૂરી પાડવાનો છે. રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રેન ઉપડે ત્યાં સુધી જનરલ કોચની ટિકિટ આપવામાં આવે છે. જનરલ કોચની ટિકિટ માટે કોઈ મર્યાદા નથી. જેના કારણે જનરલ કોચમાં હંમેશા ભીડ રહે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kota Coaching Center: સપનાના શહેર કોટામાં જીવનની લડાઈ લડી રહેલા વિદ્યાર્થીઓ! જાણો શું છે આ સંપુર્ણ મામલો..

થ્રી ટાયર એસી કોચની સંખ્યામાં વધારો કર્યો

 રેલ્વેના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં 18 થી 24 પેસેન્જર, સેકન્ડ ક્લાસ એસી 48 થી 54, થર્ડ એસી 64 થી 72, સ્લીપર 72 થી 80 અને જનરલ કોચમાં 90 મુસાફરોની ક્ષમતા હોય છે. પરંતુ જનરલ કોચમાં 180થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. થ્રી ટાયર એસી કોચની સંખ્યા પણ જનરલ કોચમાં વધતી ભીડનું કારણ છે. રેલવેએ વધુ નફો મેળવવા માટે થ્રી ટાયર એસી કોચની સંખ્યામાં વધારો કર્યો છે. રેલ્વેને જનરલ કોચની સરખામણીમાં થ્રી ટાયર એસી કોચથી વધુ આવક મળે છે.
દરમિયાન, બાલાસોર દુર્ઘટના પછી, રેલ્વેએ બિનઆરક્ષિત કોચની બહાર પીવાના પાણી અને નાસ્તાની સુવિધા પણ આપવાનો નિર્દેશ આપ્યો છે. સફાઈ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની મુસાફરીને આરામદાયક અને સુખદ બનાવવા માટે આ પગલું ભર્યું છે. દરમિયાન, કોરોના સમયગાળા દરમિયાન જનરલ કોચમાં પણ અનામત બેઠકો આપવામાં આવી હતી. જનરલ ડબ્બામાં સેકેન્ડ બેઠક આપવામાં આવી હતી. સામાજિક અંતરને અનુસરવા માટે મર્યાદિત સંખ્યામાં જનરલ કોચ ટિકિટો આપવામાં આવી રહી હતી. પરંતુ હવે કોરોના રોગચાળો ઘટ્યા પછી, ટિકિટો કોચની ક્ષમતા કરતાં વધુ વહેંચવામાં આવી રહી છે.

 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version