Site icon News Continuous Bureau | Mumbai

Gadchiroli: ઐતિહાસિક ઘટના! કમાન્ડર સોનુ સાથે આટલા નક્સલીઓનું આત્મસમર્પણ, ગઢચિરોલીમાં નક્સલવાદની કમર તૂટી.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં માઓવાદીઓના પોલિત બ્યુરો મેમ્બર મલ્લૌજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુએ 60 સાથીઓ સાથે કર્યું આત્મસમર્પણ, પોલીસ અને સરકારને મળી મોટી સફળતા.

Gadchiroli ઐતિહાસિક ઘટના! કમાન્ડર સોનુ સાથે આટલા નક્સલીઓનું આત્મસમર્પણ,

Gadchiroli ઐતિહાસિક ઘટના! કમાન્ડર સોનુ સાથે આટલા નક્સલીઓનું આત્મસમર્પણ,

News Continuous Bureau | Mumbai
Gadchiroli સશસ્ત્ર માઓવાદ (Maoism) વિરુદ્ધ મહારાષ્ટ્રની ગઢચિરોલી પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને એક મોટી સફળતા મળી છે. માઓવાદીઓની કેન્દ્રીય કમિટીના તેમજ પોલિત બ્યુરો મેમ્બર અને અત્યંત વરિષ્ઠ નક્સલી કમાન્ડર મલ્લૌજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુ ઉર્ફે ભૂપતિએ તેના 60 માઓવાદી સાથીઓ સાથે ગઈ કાલે મોડી રાત્રે ગઢચિરોલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ ઘટનાને પોલીસ અને સરકારે નક્સલવાદ (Naxalism) માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો ગણાવ્યો છે.

ગુપ્ત સ્થળે આત્મસમર્પણ અને DVCM કમાન્ડર

ગઢચિરોલી જિલ્લાના દક્ષિણી ભાગના ગીચ જંગલોમાં એક ગુપ્ત સ્થળે આ આત્મસમર્પણ થયું હોવાની માહિતી છે. સોનુ ઉર્ફે ભૂપતિ સાથે DVCM કમાન્ડર પદના 10 નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. 21 મેના રોજ માઓવાદીઓના જનરલ સેક્રેટરી નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુના એન્કાઉન્ટર બાદ માઓવાદીઓના દંડકારણ્ય વિસ્તારમાં કમર તૂટવા લાગી હતી.

Join Our WhatsApp Channel

શાંતિ પ્રસ્તાવ અને સમર્થન

છેલ્લા કેટલાક દિવસોમાં સોનુ ઉર્ફે ભૂપતિએ સતત પ્રેસ નોટ જાહેર કરીને સશસ્ત્ર માઓવાદ છોડવાની અને સરકાર સાથે શાંતિ વાર્તા કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ત્યારબાદ માઓવાદીઓના ગઢચિરોલી ડિવિઝન, ઉત્તર બસ્તર ડિવિઝન અને માડ ડિવિઝનના કેટલાક માઓવાદી કમાન્ડરોએ પણ ભૂપતિના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ત્યારથી જ એવી શક્યતા હતી કે ભૂપતિ જલ્દી જ પોતાના સાથીઓ સાથે આત્મસમર્પણ કરશે.

આ સમાચાર પણ વાંચો : Google: ગુગલની ભારતમાં મોટી જાહેરાત! AI હબ પર કરશે અધધ આટલા બિલિયન નું રોકાણ, સુંદર પિચાઈએ PM મોદીને આપી માહિતી.

માઓવાદી સંગઠનને મોટો ફટકો

આ આત્મસમર્પણ માઓવાદી સંગઠન માટે મોટો ફટકો છે અને પોલીસ અને રાજ્ય સરકારના સતત અભિયાનો પછી આ શક્ય બન્યું છે. સપ્ટેમ્બરમાં સોનુએ પહેલાથી જ હથિયાર મૂકી દેવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો અને ઘણા માઓવાદી કમાન્ડરોએ તેનું સમર્થન કર્યું હતું. આ પગલાથી ગઢચિરોલી અને આસપાસના વિસ્તારોમાં માઓવાદી ગતિવિધિઓ પર અસર પડશે. પોલીસ અને સરકારે આને મોટી સફળતા ગણાવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેનાથી વિસ્તારમાં શાંતિ અને વિકાસને પ્રોત્સાહન મળશે.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version