National Flag Day: રાષ્ટ્રીય ધ્વજ દિવસ પર બીઆઈએસએ આઈએસઃ 1-1968ને સમ્માનિત કર્યા

National Flag Day: સૌ પ્રથમ 1951માં પ્રકાશિત, આ ધોરણમાં ત્રિરંગાની ડિઝાઇન, બાંધકામની વિગતો સૂચવવામાં આવી છે

by Hiral Meria
BIS honored IS 1-1968 on National Flag Day

News Continuous Bureau | Mumbai

National Flag Day: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ( BIS ) રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી ગૌરવ સાથે કરી રહ્યું છે, જે રાષ્ટ્રધ્વજ (કોટન ખાદી) આઇએસ: 1-1968 ( IS: 1-1968 ) માટે આઇકોનિક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન પર પ્રકાશ પાડે છે. આ ઐતિહાસિક ધોરણ, જેનું પ્રથમ વખત મે 1951માં અનાવરણ કરવામાં આવ્યું હતું, તે આપણા આદરણીય રાષ્ટ્રીય પ્રતીકની અખંડિતતા અને ઉત્કૃષ્ટતાને જાળવવાનો પાયો છે. 

આ ધોરણને તત્કાલીન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂશન ( ISI ) ની નેશનલ ફ્લેગ સેક્શનલ કમિટી (ટીડીસી: 8) દ્વારા ઉદ્યોગપતિ અને દિલ્હી ક્લોથ એન્ડ જનરલ મિલ્સ (ડીસીએમ)ના ચેરમેન શ્રી ભરત રામની અધ્યક્ષતામાં સાવચેતીપૂર્વક તૈયાર કરવામાં આવ્યું હતું, જે હવે બીઆઇએસ છે. આઈએસ: 1-1968માં સટીકતા અને ચિત્રણની સાથે, સામાન્ય ડિઝાઈન, નિર્માણ સંબંધી વિગત અને વિભિન્ન ધ્વજ ભાગોના પરિમાણોને દર્શાવવામાં આવ્યા છે, જેને મોટર કારો માટે એક સહિત નવ આકારોમાં પ્રમાણિત કરવામાં આવ્યા છે.

1964માં, રાષ્ટ્રીય ધ્વજના ધોરણને તેના માપને મેટ્રિક સિસ્ટમમાં ફેરવવા માટે નોંધપાત્ર રીતે અપડેટ કરવામાં આવ્યું હતું, જે ભારત સરકાર ( Indian Government  )  દ્વારા અપનાવવામાં આવેલી નવી સિસ્ટમ સાથે મેળ ખાતું હતું. આ સુધારાએ ધ્વજની ( National Flag ) સામગ્રીને પણ આધુનિક બનાવી, સુતરાઉ ખાદીના કાપડ માટેના જૂના સ્પષ્ટીકરણોને દૂર કર્યા અને ધ્વજમાં ઉપયોગમાં લેવાતા શણના દોરડા અને લાકડાના ટોગલ્સના કદમાં ફેરફાર કર્યો.

આ સમાચાર પણ વાંચો :  Income Tax Saving: વાર્ષિક 10 લાખની છે આવક? તો પણ નહીં ભરવો પડે કોઈ ઈન્કમ ટેક્સ, નવા ટેક્સ સ્લેબથી પૈસા બચશે!.. જાણો શું છે આ ગણિત

આ ધોરણમાં 1968માં વધુ એક સુધારો જોવા મળ્યો હતો, જેમાં ધ્વજની પેનલને જોડવાની પદ્ધતિને સુધારવા અને ધ્વજ અને ચક્રના પરિમાણો પર સહિષ્ણુતાને સમાયોજિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ધોરણના વારસા વિશે વાત કરતાં, બીઆઈએસના મહાનિર્દેશક શ્રી પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય ધ્વજ દિને, અમે આઈએસઃ 1-1968ના કાયમી વારસાની અને આપણા રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી કરીએ છીએ. 22,000થી વધારે ભારતીય માપદંડોના સંરક્ષક તરીકે બીઆઈએસ (BIS)એ ભારતના નાગરિકો માટે ચીજવસ્તુઓની સુરક્ષા, વિશ્વસનીયતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More