I.N.D.I.A.ની બેઠક પર ભડક્યા ભાજપના પ્રવક્તા નિતેશ રાણે, કહ્યું- હિંદુ ધર્મ વિરુદ્ધ બનાવ્યું છે ગઠબંધન.

ગયા બુધવારે, NCP પ્રમુખ શરદ પવારના ઘરે I.N.D.I.A ગઠબંધનની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. હવે ભાજપના પ્રવક્તા નિતેશ રાણેએ આ બેઠક પર આકરા પ્રહારો કર્યા અને આ I.N.D.I.A ગઠબંધનને હિંદુ વિરોધી ગણાવ્યું છે.

by Hiral Meria
BJP spokesperson Nitesh Rane: an alliance has been formed against Hinduism.

News Continuous Bureau | Mumbai 

ગયા બુધવારે, NCP પ્રમુખ શરદ પવારના ઘરે I.N.D.I.A ગઠબંધનની ( I.N.D.I.A  alliance ) સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. હવે ભાજપના પ્રવક્તા નિતેશ રાણેએ આ બેઠક પર આકરા પ્રહારો કર્યા અને આ I.N.D.I.A ગઠબંધનને હિંદુ વિરોધી ગણાવ્યું છે. તેમણે બેઠકમાં ભાગ લેનાર ગઠબંધન નેતાઓ પર હિંદુ ધર્મ વિરુદ્ધ ચાલી રહેલા નિવેદનબાજીને સંમતિ આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

રાણેએ શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટીના ( BJP  )  પ્રવક્તા ( spokesperson  ) નિતેશ રાણેએ ( Nitesh Rane ) કહ્યું કે તેમને શરદ પવારના નિવાસસ્થાને આયોજિત બેઠકની માહિતી મળી છે. રાણેએ બેઠકમાં હાજર રહેલા નેતાઓ પર આરોપ લગાવ્યો કે તે બધાએ સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો આપનારા DMK નેતાઓને ડેન્ગ્યુ અને મેલેરિયા ગણાવીને અભિનંદન આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સનાતન ધર્મને નષ્ટ કરવા માટે હિંદુ ધર્મ ( Hinduism ) વિરુદ્ધ I.N.D.I.A ગઠબંધન ( alliance  ) બનાવવામાં આવ્યું છે.

હિટલર સાથે કરી સરખામણીમાં

નિતેશ રાણેએ તો I.N.D.I.A ગઠબંધનની સરખામણી હિટલર સાથે કરી દીધી. તેમણે કહ્યું કે હિટલરે જર્મની સાથે જે કર્યું, ઈન્ડિયા ગઠબંધનના લોકો પણ તે જ કરી રહ્યા છે. દેશમાં 90% હિંદુઓ વસે છે, આ આપણું હિંદુ રાષ્ટ્ર છે, આ હિંદુ રાષ્ટ્રમાં હિંદુ ધર્મને જ ખતમ કરવા માટે અભિનંદન આપવામાં આવે છે. શું દેશની જનતા આવા લોકોને સ્વીકારશે? રાણેએ કહ્યું કે હિંદુ સમાજ I.N.D.I.A ગઠબંધનનો જવાબ આપશે.

આ સમાચાર પણ વાંચો  : Rajasthan Road accident: દિહોરમાં એક સાથે 10 ચિતા સળગી, હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજાર લોકો અંતિમ યાત્રામાં સામેલ

બેઠકમાં શું થયું?

બુધવારે શરદ પવારના ઘરે આયોજિત બેઠકમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, ડી રાજા, ટીઆર બાલુ, સમાજવાદી પાર્ટીના જાવેદ અલી, કોંગ્રેસના ગુરદીપ સિંહ સપ્પલ અને કેસી વેણુગોપાલ પણ હાજર હતા. અહીં નક્કી કરવામાં આવ્યું હતું કે સીટની વહેંચણી અંગે પહેલા રાજ્ય એકમ દ્વારા ચર્ચા કરવામાં આવશે અને પછી આ મામલો સંકલન સમિતિ સમક્ષ આવશે. તે જ સમયે, આ બેઠકમાં ઓક્ટોબર મહિનામાં ભોપાલમાં પ્રથમ જાહેર રેલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More