લેબનો રિપોર્ટ કે કોરોનાના લક્ષણો સાથે સીધા ખાનગી હોસ્પિટલ પહોંચી જનારને ભરતી ન કરવાની BMC કમિશનરની તાકીદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

19 જુન 2020

પ્રાઈવેટ હોસ્પિટલોમાં વૉક-ઈન કોરોનાના દર્દીઓને બેડ ન ફાળવવાની બીએમસી કમિશનરે અપીલ કરી છે. આ પહેલા કોરોના પોઝિટિવ પેશન્ટનો રિપોર્ટ દર્દીને કે હોસ્પિટલને ન આપવાની સૂચના પણ મનપા કમિશનર દ્વારા આપવામાં આવી હતી. આની પાછળનું કારણ એ છે કે દર્દીઓ પૈસા ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે પરંતુ ત્યાં કોઈપણ જાતની કોરોનાની ટ્રીટમેન્ટ કર્યા વિના જ હોસ્પિટલો લાખો રૂપિયાના બિલ આપી રહી છે.

 આની સામે ડોક્ટર્સ એસોસિઅશનને પ્રશ્ન કર્યો છે કે "જો કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ પેશન્ટો કે વરિષ્ટ નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા આવે અને હોસ્પિટલ દર્દી ને બેડ ન આપે, તે દરમિયાન કંઇ થઇ જાય તો એનું જવાબદાર કોણ રહેશે?? 

જ્યારે અન્ય એક પત્રમાં બીએમસી ફોર્મ હોમ આઈશોલેશન બાદ પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને બેડ આપવાની સાથે જ લોકલ સરકારી વોર્ડ વોર રૂમને જાણ કરવાની તાકીદ કરી હતી.

 વાસ્તવમાં કોરોનાના લક્ષણો પૂરતા ન હોવા છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા લાખો રૂપિયાના બીલ આપ્યા હોવાની સેંકડો ફરિયાદ બાદ મનપા કમિશનરે આ પત્ર જારી કર્યો છે. જેથી દર્દીઓને ખોટા રિપોર્ટ અને ખોટી ટ્રીટમેન્ટથી બચાવી શકાય….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *