Site icon News Continuous Bureau | Mumbai

એલપીજી ગેસ બુકિંગ પદ્ધતિ હવે થશે બધું સરળ રીતે.. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
    LPG ગેસ સિલિન્ડરના બુકિંગ ને લઈને વર્ષ 2020ના નવેમ્બરથી કેટલાક ફેરફાર લાગુ થયા હતા. જેમાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે OTP બેસ્ડસિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર એલપીજી બુકિંગ અને ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.


      કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ વિચાર કરી રહી છે કે, ગ્રાહકો માટે એલપીજી ગેસ બુકિંગ અને રિફિલની પ્રક્રિયા કેવી રીતે સરળ અને તેજ કરવામાં આવે. પ્રાપ્ત થયેલી માહિતી ના આધારે ગત વર્ષે જ્યારે એલપીજીના નવા નિયમો પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે એ વાત ઉપર પણ વિચાર કરવામાં આવ્યો કે એલપીજી રિફિલ માટે ગ્રાહકો ફક્ત પોતાની જ ગેસ એજન્સી પર નિર્ભર ન રહે. તેમની નજીક જે પણ બીજી ગેસ એજન્સી હોય તેના દ્વારા તેઓ એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી શકે. આ માટે સરકાર અને ઓઈલ કંપનીઓએ ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તૈયાર કરશે. ઈન્ડિયન ઓઈલ(IOC), ભારત પેટ્રોલિયમ(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ(HPCL) કંપનીઓ મળીને એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે અને સરકારે ઓઇલ કંપનીઓને આ અંગે નિર્દેશ પણ બહાર પાડ્યા છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.
    ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ માટે ઉપયોગી એવા ખાસ પાંચ કિલો વાળા સિલિન્ડર કનેક્શન માટે હવે તેમને એડ્રેસ પ્રૂફની જરૂર નહીં પડે. આ નાના સિલિન્ડરને દેશભરના કોઈપણ પોઇન્ટ ઓફ સેલ કે પેટ્રોલપંપ પરથી પણ રીફીલ કરાવી શકાશે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version